SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર શાસનસમ્રાટુ જેવા સાહેબ આવ્યા છે. હવે આપણી શી વલે કરશે ? વકીલે તે આવતાવેંત ઇંગ્લીશ ભાષામાં બોલવાનું શરૂ કર્યું. લેકેને ધમકાવ્યા. લોકો પણ ડરતાં ડરતાં તેમની પાસે આવ્યા, એટલે તેમણે દેરાસરની ચાવીઓ તેની પાસે છે ? તે જાણીને ચાવીઓ મંગાવી. દેરાસર ઉઘડાવી, ત્યાંના પંડ્યાને સાથે રાખીને પ્રતિમાજીને ખીલાના ઘા પડયા છે, તે બાબતને પંચકેસ કરાવ્યો. અને અહીં “તેરાપંથી સાધુઓ ઉતર્યા હતા, તેઓએ ઉપદેશ આપીને પ્રતિમા પર ખીલા મારવાનું આ ઘાતકી કાર્ય કરાવ્યું છે. આ બનાવ નંધીને તેની પર ત્યાંના લોકેના સાક્ષી-પુરાવા તરીકે સહીસિકકા લીધા. પછી ત્યાંથી ઉદયપુર જઈને મહારાણા સાહેબ શ્રી ફતેહસિંહજીની કોર્ટમાં કેસ દાખલ કર્યો. આ કેસને ફેંસલો આપતાં ના. મહારાણાએ ઓર્ડર કર્યો કે-કઈ પણ તેરાપંથી શસે મંદિરમાં પ્રવેશ કરે નહિ. તેરાપંથી સાધુએ મંદિરમાં ઉતરવું નહિ. આ હુકમની વિરુદ્ધ જે વર્તશે તે રાજ્યને ગુનેગાર ગણાશે અને તેને સખ્ત નશીયત કરવામાં આવશે.” આ ૧૯૭ના પરિચયને કારણે એ ગઢબેલના શ્રાવકે પિતાના–મેવાડ પ્રદેશમાં પધારવાની વિનંતિ કરવા પૂજ્યશ્રી પાસે દેસૂરી આવ્યા. તેમને અત્યન્ત આગ્રહ થવાથી તથા ગ્લાનમુનિના સ્વાથ્યમાં સુધારો જણવાથી પૂજ્યશ્રીએ ગ્લાનમુનિ તથા મુનિશ્રી ચંદનવિજયજી મ. આદિને દેસૂરીમાં રાખીને મેવાડ તરફ વિહાર કર્યો. [૩૨] મેવાડમાં મૂર્તિમંડન દેસૂરીની નાળ ઉપર ચઢતાં પહેલું ગામ ઝીલવાડા હતું. ત્યાં પૂજ્યશ્રી પધાર્યા. અહીંયા ઓસવાળના ૫૦ ઘર હતા, પણ બધાં તેરાપંથી. ગામમાં એક પ્રાચીન જિનાલય હતું, તેની દેખરેખ કેઈ નહેતું રાખતું. પૂજ્યશ્રી ગામના ઠાકરસાહેબના દરબારમાં પધાર્યા, અને ત્યાં ઠાકરસાહેબની અનુજ્ઞા લઈને દરબારગઢના દરવાજાની મેડીએ ઉતર્યા. ઠાકરસાહેબ પણ પૂજ્યશ્રીના દર્શનાર્થે આવ્યા, અને પ્રથમ દર્શને જ તેઓ પૂજ્યશ્રીના પરમભક્ત બની ગયા. તેમણે પૂજ્યશ્રીને ઉપદેશ આપવાની વિનંતિ કરી, એટલે પૂજ્યશ્રીએ દરબારગઢમાં વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. દરબારગઢમાં વ્યાખ્યાન શરૂ થવાથી, કેટલાંક તેરાપંથી ગૃહસ્થ કુતુહલ ખાતર સાંભળવા આવ્યા. મેઘ-ગજના શી ગંભીર વાણીએ પૂજ્યશ્રીએ દેશનામાં ફરમાવ્યું કેઃ મૂર્તિપૂજા એ જ સાચો માર્ગ છે. કારણ કે-મૂર્તિ એ ભગવાનનું સ્મરણ કરાવવામાં પ્રબળ કારણ છે. કેઈ કહેતાં હોય કે- “ભગવાન તો અરૂપી છે, તેમના સ્મરણ-ધ્યાન માટે પૌગલિક વસ્તુનું અવલંબન અયોગ્ય છે. તો તે વીતરાગદેવની અમેઘ વાણીસ્વરૂપ આગમને પણ કેમ માની શકે? કારણ કે જિનાગમપણુ ભગવાનના સ્મરણ ધ્યાન માટે છે, અને તે શબ્દરૂપ હોવાથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy