SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટું ૧૪૮ | 'જાવાલમાં ઉપાશ્રયની અગવડ હતી, એટલે પૂજ્યશ્રીએ તે અંગે ઉપદેશ આપ્યું. એના ફિલસ્વરૂપે શ્રીસંઘે ધર્મશાળાને ભાગ વધાર્યો, અને તેની સામે ઉપાશ્રય માટે એક જગ્યા ખરીદી. તે જગ્યામાં ઉપાશ્રયનું મકાન બાંધવા માટે મોટી ટીપ થઈ. આ બધે પ્રદેશ જેરામગરાના પ્રદેશ તરીકે ઓળખાતું. આ પ્રદેશના ગામોના ગૃહસ્થ પરદેશમાં વ્યાપાર કરતા, અને રહેતા ગામમાં તે ફક્ત ધર્મધ્યાનમય નિવૃત્તિ જીવન ગાળવા માટે જ રહેતા. પરદેશમાં વસતા એ ગૃહસ્થ ઘણું સુખી હતા. પરંતુ જ્ઞાનની ખામીને લીધે કઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ તેઓ તથા તેમના પુત્રાદિ પરિવાર પામી શકતા નહિ. પાઠશાળા જેવું પણ કાંઈ ન હતું. આથી પૂજ્યશ્રીએ શ્રીસંઘને પાઠશાળા માટે ઉપદેશ આપે. શ્રીસંઘે પણ પિતાના ગામની આ ખામીને દૂર કરવા માટે પૂજ્યશ્રીને એ ઉપદેશ ઝીલી લીધે, અને એક પાઠશાળાનું સ્થાપન કર્યું. એનું નામ “તપાગચ્છ-શ્રીવૃદ્ધિચંદ્રજી જૈન પાઠશાળા” રાખ્યું. તેમાં નાના મોટા અનેક ભાઈ-બહેને ધાર્મિક અભ્યાસ કરવા લાગ્યા. વળી–અહીં મૂંગા-પ્રાણીઓની રક્ષા માટે કઈ સાધન ન હતું. તેથી જીવદયાના તિર્ધર આપણું પૂજ્યશ્રીએ ઉપદેશ આપીને એક “પાંજરાપોળ-સંસ્થા સ્થપાવી. પાઠ. શાળા તથા પાંજરાપોળના નિભાવ માટે પૂજ્યશ્રીના ઉપદેશથી સારી એવી ટીપ પણ થઈ જાવાલ-ગામથી મા માઈલ દૂર અંબાજી માતાની એક વાડી હતી. ત્યાં અંબામાતાનું સ્થાન હતું. વાડી ઘણું વિશાળ હતી. તે જોઈને પૂજ્યશ્રીને ભાવના થઈ કે-આ વિશાળ જગ્યામાં દેરાસર થાય તે શ્રીસંઘને ચૈત્રી-કાર્તિકી પૂનમે શ્રીસિદ્ધગિરિરાજની યાત્રા માટે એક રમ્ય સ્થાન બને. આવી ભાવના થતાં તેઓશ્રીએ સંઘને તે માટે ઉપદેશ આપે. સંઘે પણ તે વધાવી લીધે, અને તે વાડી ખરીદી લીધી. જાવાલમાં–ચોમાસા પૂર્વે બેટાદનિવાસી દેસાઈ હિમચંદ ભવાનના સુપુત્ર શ્રી અમૃત લાલને તથા રાજગઢ-માળવાના વતની શા. પ્યારેલાલ-નામક એક ગૃહસ્થને પૂજ્યશ્રીએ દીક્ષા આપી. તેમના નામે અનુક્રમે-મુનિશ્રી અમૃતવિજયજી મ. તથા મુનિશ્રી ભકિતવિજયજી મ. રાખ્યા. બને મુનિવરે અનુક્રમે પૂજ્યશ્રીના તથા પં. શ્રી પ્રતાપવિજયજી મહારાજના શિષ્ય થયા. આમ ચાતુર્માસમાં અનેક શાસનપ્રભાવનાના કાર્યો કરી-કરાવીને ચોમાસા બાદ પૂજ્યશ્રીએ વિહારની તૈયારી કરી. વિહાર સમયે ગામ બહાર મંગલાચરણ વખતે શ્રીસંઘે પૂજ્યશ્રીને આગ્રહપૂર્ણ વિનંતિ કરી કે ” સાહેબ ! આખા ચોમાસા દરમિયાન આપશ્રીએ અમને કંઈ કાર્યસેવા ફરમાવી નથી, પણ હવે તો કાંઈ કાર્ય ફરમાવે.” શ્રીસંઘને અત્યંત આગ્રડ જોઈને પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે : “પાલિતાણામાં દયાળુ દાદાની પવિત્ર છાયામાં અનેક ધર્મશાળાઓ છે, પણ મારવાડી ગૃહ તરફથી બંધાયેલી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy