SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ મધરમાં ધમ –ઉદ્યોત ૧૪૫ વડનગર, સીપાર, ખેરાળુ, ઉંઝા વિગેરે ૧૬ ગામાની જ્ઞાતિઓને ઘેાળ હતા. તે ૧૬ માં મેટું ખેરાળુ હતું. પણ કેાઈક કારણસર બાકીના ૧૫ ગામવાળાઓએ ખેરાળુ ગામ સાથેના વ્યવહાર બંધ કરી દ્વીધા હતા. ખેરાળુવાળાએ સમાધાન કરીને વ્યવહાર ચાલુ કરવા માટે ઘણી મહેનત કરી, પણ તેને સફળતા ન મળી. એ અરસામાં જ પૂજ્યશ્રીનું તે તરફ પધારવુ... થયુ. અને ડાંગરવાના સંઘની એકતા તેઓશ્રીના ઉપદેશથી થઇ, એ જાણીને ખેરાળુના આગેવાન અને શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ શા. ગેાપાળજી છગનલાલ વગેરે ગૃહસ્થા સીપેાર આવ્યા. અને પૂજ્યશ્રીને પેાતાની વાત અર્થતિ જણાવીને વિનંતિ કરી કે સાહેબ ! આપશ્રી અહીં પધાર્યા છે, માટે હવે કૃપા કરીને અમારૂ સમાધાન કરાવી આપે. તેમની પાસેથી બધી વાત જાણી લઈને પૂજ્યશ્રીએ ૧૫ ગામમાં મુખ્ય ગણાતા સિપેાર ગામના સઘને સમાધાન કરવા માટે વિખવાદ દૂર કરવા માટે ઉપદેશ આપ્યા. સિપેારવાળાને પૂજ્યશ્રીના ઉપદેશ રૂચ્યા. એટલે તેમણે તરત જ બીજા ૧૪ ગામાના સંઘને સારમાં એકત્ર કર્યાં. એ સર્વ-સ ંઘાને પૂજ્યશ્રીએ ઉપદેશ આપ્યા. આથી તે પંદરેય ગામવાળાઓએ તે જ વખતે સલાહપૂર્વક એકમતે ખેરાળુવાળા સાથેના કલેશ ત્યજી દીધા. અને તેમની સાથેના વ્યવહાર પૂર્વાંવત્ શરૂ કર્યાં. જેથી પુનઃ ૧૬ ગામોની એકતા થઈ. આમ ઠેરઠેર વવાયેલા કલહ-કુસ ́પના વિષાંકુરો ઉખાડીને તેના સ્થાને પેાતાના ઉપદેશામૃતથી એકતાની અમૃતવેલ ઉગાડતાં પૂજ્યશ્રી સિપેારથી ખેરાળુ પધાર્યા. ત્યાં ગામવાળાએ એકત્ર થઈને એકતાના પ્રાસાદ પર કલશારાણુરૂપ અઠ્ઠઈ-મહાત્સવ પૂજ્યશ્રીની નિશ્રામાં ઉજજ્ગ્યા. ત્યારપછી ખેરાળુથી તેઓશ્રી શ્રીતાર’ગાજી તીર્થે પધાર્યાં. આ પ્રસંગે ડાંગરવાથી શ્રીસ’ઘના ૫૦ ગૃહસ્થાને સંઘ શ્રીતારગાજીની યાત્રા કરવા આવ્યા. તેમણે પૂજ્યશ્રીની નિશ્રામાં પૂજ્યશ્રીની સાથે સંગીતના સાજ સહિત શ્રીતારગાજી તીર્થની યાત્રા કરી. શ્રીતાર ગાજી એ મહાતીનું ખીજું નામ છે શ્રીતારણગિરિ. તારદેવીનું ત્યાં પ્રાચીનકાળથી સ્થાન છે, એથી એ પર્યંતનું નામ પણ પ્રાચીનકાળથી તારગિરિ પડ્યુ છે. આ તીર્થના અધિનાયક શ્રી અજિતનાથ પ્રભુ છે. શ્રીમુનિસુન્દરસૂરીશ્વરજી મહારાજ આ તીર્થની સ્તવના કરતાં કહે છે કે : 'હે સ્વામિન્ ! હે અજિતનાથ પ્રભા ! તારણગિરિ એ ખરેખર તારણગિરિ જ છે. કારણકે આપની જેમ તે પણ ભવ્યાત્માઓના સંસાર સમુદ્રથી તારણહાર, અને ભવ્યોના ખાદ્ય-અભ્યન્તર શત્રુઓનો નાશ કરનાર છે. આથી આ પવ તનું “તારણગિરિ” એવું નામ સાક છે.” આ ગિરિરાજ પર ૧૩ મા સૈકામાં પરમાત્ગુ રનરેશ શ્રીકુમારપાળ મહારાજાએ કલિકાલસર્વ જ્ઞભગવંતશ્રીના ઉપદેશથી ભવ્ય પ્રાસાદ અધાવેલે, અને તેમાં તીપતિ શ્રી અજિતનાથ પ્રભુની ભવ્ય અને રમણીય પ્રતિમા પ્રતિષ્ઠિત કરી હતી. સ્તુતિકાર સૂરિભગવંત શ્રીમુનિસુંદરસૂરિજી મ. શ્રી આગળ વધતાં ફરમાવે છે કે : જે રીતે શ્રી અજિતનાથ પરમાત્મા માતાના ગર્ભમાં હતા, ત્યારે તે ગર્ભના પ્રભાવથી ૧ જૈનસ્તાત્રસંગ્રહ–અજિતજિન સ્તંત્ર શ્લોક ૧૩-૧૪ બીજો ભાગ, ૧૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy