SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવંજમાં પીપ્રદાન તરીકે પ્રસિદ્ધ આ ત્રણ મુનિરાજોને છેલ્લા પાંચ માસથી શ્રી ભગવતીજી સૂત્રના ચેાગેન્દ્વહનની ક્રિયા પૂજ્યશ્રીની નિશ્રામાં સુવિશુદ્ધ વિધિપૂર્ણાંક ચાલી રહી હતી. એ સર્વાનુયાગમય–શ્રી ભગવતીજી સૂત્રની અનુજ્ઞાસ્વરૂપ ગણિપ, તથા પ ંન્યાસપથી તેમને અલંકૃત કરવાનું શુભ મુદ્ભૂત નજીકમાં આવી રહ્યું હતું. આ પ્રસંગને કપડવજમાં શ્રીસદ્યે અતિ ઉમગ અને ઉલ્લાસથી વધાવી લીધેા. અને તેને ઉપલક્ષીને એક ભવ્ય મહાત્સવ ધામધૂમપૂર્વક ઉજવવાના શ્રીસ ંઘે નિર્ણય કર્યાં. અષાઢમાસના શુકલ પક્ષમાં આ મહાત્સવને શુભારંભ થયા. આ મહેાત્સવનુ સવિસ્તર ખ્યાન આપણે “જૈન ધમ પ્રકાશ” માસિકમાંથી જ મેળવીએ ૧ કપડવજમાં અતિ માંગલિક પ્રસંગ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરિજી પેાતાના શિષ્ય પરિવાર સાથે કપડવંજ ખાતે બિરાજે છે, તેએ પાતાના ઉત્તમ-નિર્મળ ચારિત્ર તેમજ અસાધારણ વિદ્વત્તા માટે હજારો જેનાથી સેવાયેલા હેાવાથી તેના શિષ્યા સંબંધી કોઈપણ ધાર્મિક પ્રસંગ પ્રાપ્ત થતાં તેમનામાં એવા ઉત્સાહ ફેલાઈ રહે છે કે—તેના યથાસ્થિત આદર્શો જે તે પ્રસ ંગે હાજર રહેવા ભાગ્યશાળી થાય છે તેમને જ મળી શકે છે. તેમના શિષ્યા પૈકી ત્રણ શિષ્ય-નામે મુનિમહારાજશ્રી દર્શનવિજયજી, શ્રી ઉદયવિજયજી અને શ્રી પ્રતાપવિજયજીને ગણીપદ તથા અનુયાગાચાર્ય પદ (પંન્યાસપ૪) આપવાના મહેાત્સવ કપડવંજના શ્રીસ ંઘે ઘણી ધામધૂમથી અને માટી ઉદારતાથી ચાલુ અઠવાડિયામાં ઉજજ્યેા છે. ૧૩૩ આ બંને પદવી આ મુનિમહારાજાએ ઘણાં વર્ષોના સતત અભ્યાસ, ઉત્કૃષ્ટ તપ, અને મનોનિગ્રહયુક્ત ક્રિયા બાદ દેવગુરુકૃપાથી મેળવી શકયા છે. અને તેવા અલૌકિક પ્રસંગ પામવા માટે ધમી જૈનો તેમને “અહાભાગ્ય” ધ્વનિથી વધાવી લે તે સ્વાભાવિક જ છે. ત્રણે મુનિમહારાજ સંસ્કૃત વ્યાકરણ, ન્યાય, જૈન સિદ્ધાંત તથા સાહિત્ય વગેરેનું ઘણા ઊંચા પ્રકારનું જ્ઞાન ધરાવે છે. તેથી તેમજ ઊંચા ચારિત્રખળથી અને લાંબા વખતના અસ્ખલિત અભ્યાસથી તેમણે જે ઊંચી પદવી પ્રાપ્ત કરી છે, તેને માટે તે પૂરતી રીતે ચેાગ્ય છે. આ માંગલિક પ્રસંગ ઉપર અમદાવાદ, ભાવનગર, ખંભાત, ખેાટાદ, મુંબઈ, વિગેરે શહેરાથી તથા આસપાસના ગામેાથી અને દૂરના ગામાથી હજાર ઉપરાંત જૈનભાઈ આ કપડવંજ આવ્યા હતા. અમદાવાદથી નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ, શેઠ માણેકલાલભાઈ મનસુખભાઇ, શેડ મણિલાલ મનસુખભાઈ, તાલુકદારી સેટલમેન્ટ ઓફિસવાળા શેઠે મેહનલાલ લલ્લુભાઇ, શેઠ માહાલાલભાઈ મૂળચ ંદભાઈ, શેઠ દલપતભાઈ મગનભાઈ, શેઠ પરસેાતમભાઈ મગનભાઈ, શેઠ પ્રતાપસિંહ માહાલાલભાઈ, શેઠ ટાલાલ લલ્લુભાઈ વિગેરે ગૃહસ્થા આવ્યા હતા. શેઠ અબાલાલ સારાભાઈ, શેડ મણિભાઈ દલપતભાઈ તથા ભાવનગરવાળા, કુંવરજી આણુદજી વિગેરે આવી શકચા નહાતા. તેમની તરફથી તેમજ (સ્વ.) નગરશેઠ ચીમનભાઈ લાલભાઈ તરફથી તાર, ટપાલ, કપડાં આવ્યા હતા. ૧ જૈન ધર્મ પ્રકાશ” વિ. સં. ૧૯૬૯, શ્રાવણ માસ. પૃષ્ઠ-૧૫૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy