SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ જય શેરીસાનાથ ૧૨૩ સૂરિભગવંતે કહેલા વિધિ પ્રમાણે તેણે અર્જુમતપની આરાધના કરી. અને ઉત્તમ દિવસે સૂર્યાસ્ત પછી ઉત્તમ વેળાએ તેણે પેલી પાષાણ ફલહી પર હળવા હાથે ટાંકણુ અડાડયું, અને મૂતિ નિર્માણુ શરૂ કર્યુ. ટાંકણાના ટ–ટક્ અવાજ ભાવિકાને મન સ’ગીતની સૂરાવલિથીયે અધિક મીઠો લાગતા હતા. ૧ સકલસંઘ પ્રભુધ્યાનમાં મગ્ન બની ગયા હતા. રાત વીતતી ગઈ એમ મૂર્તિના અવથવા સજાવા લાગ્યા. અને પ્હો ફાટતાં તે ધરણેન્દ્રના પ્રભાવથી એ અંધ શિપિરત્ને શ્રેષ્ઠ સ્મૃતિ નિરમી દીધી. હવે જ્યારે એ સ્થપતિ સ્મૃતિ ઘડતા હતા, ત્યારે મૂર્તિના હૃદયપ્રદેશ પર એક મસા રહી ગયા. સ્થપતિને તે વખતે તેનું ધ્યાન ન રહ્યું. પણ મૂર્તિ પૂર્ણ થયા પછી કાઈ ક્ષતિ રહી હોય, તે જોવા માટે તેણે ફરીવાર મૂર્તિ પર હાથ ફેરવ્યેા. તો પેલે મસેા રહી ગયાની જાણ થઇ. એટલે તેણે ધીરે રહીને એ મસા ઉપર ટાંકણું લગાવ્યું. મસે તૂટ્યો, અને એ સાથે જ તે પ્રદેશમાંથી લેાહીની ધારા વછૂટી. બરાબર આ જ સમયે સૂરિભગવંત ત્યાં આવ્યા, અને તેમણે આ દૃશ્ય જોયું. ચકાર સૂરિજી અધી વાત પામી ગયા. તેમણે ખેદપૂર્વક શિલ્પીને કહ્યું કે : “ભાઈ ! તેં આ શું કર્યું ? એ મસેા તારે રહેવા દેવાના હતા. કારણ કે-એ મસા જો રહ્યો હાત, તા આ મૂર્તિ દ્વિવ્ય પ્રભાવશાલી થાત. ખેર ! હવે શું થાય ? જેવી ભવિતવ્યતા.” આમ કહીને તેઓએ પેાતાને અંગૂઠા મસાની જગ્યાએ દાખીને લેાહી નીકતું અટકાવ્યુ. એ પ્રતિમા રાત્રે બનેલી હાવાથી તેના અવયવા સાફ દેખાતા નથી, હૅવેઆ જ રાત્રે સૂરિદેવ દ્વવ્યશક્તિ વડે અયેાધ્યા નગરીથી (અથવા-કાન્તિપુરી–જૈનકાંચીથી) ચાર માટા અને પ્રાચીન જિનષિએ આકાશમાર્ગે અહીં (સેરીસા) લાવવાના હતા. તેમાં ૩ બિંબ તા તે લઈ આવ્યા. પણ ચેાથું બિખ લાવતાં લાવતાં માંગમાં જ સૂઢિય ૧ આ. શ્રી કસૂરિવિરચિત ‘શ્રી નૉમિનન્તનલિનોદ્વાર પ્રબંધ'' અનુસારે અંધ નહિ, પણ આંખવાળા એ શિલ્પીએ આંખે વસ્ત્રપટ્ટક બાંધીને એક રાત્રિમાં શ્રીધરણેન્દ્રના પ્રભાવથી શ્રી શેરીસાપા - પ્રભુની ઉભી કાઉસગ્ગાકાર પ્રતિમા ઘડી. ત્યારપછી શ્રીદેવેન્દ્રસૂરિજી મ.શ્રી સમ્મેતશિખર ગિરિથી ત્યાં મેાક્ષે ગયેલા ૨૦ જિનવરાની ૨૦ મૂર્તિ તથા કાન્તિપુરીથી બીજી ૩ પ્રતિમા પેાતાની અદ્ભુત મંત્ર શક્તિથી શેરીસામાં લાવ્યા. અને પેલી-શિલ્પીએ બનાવેલી મૂર્તિને શ્રી શેરીસાપાર્શ્વનાથ તરીકે, અને બીજી ૨૩ મૂર્તિને, એમ કુલ ૨૪ પ્રતિમાઓને ત્યાં શેરીસાનગરે પ્રતિષ્ઠિત કરી. અને ત્યારથી શેરીસાનગર મહાતીર્થ તરીકે પ્રખ્યાત થયું. જીએ‘નાભિનંદનજિનાધાર પ્રબંધ' પ્રસ્તાવ–૪=૩૩૦ થી ૩૩૪ શ્લોક, શ્રી જિનમંડનગણિ-પ્રણીત ‘કુમારપાલ પ્રબંધ’ના મતે શ્રીહેમચ ંદ્રાચાર્ય, શ્રીમલયગિરિજી મ. તથા શ્રી દેવેન્દ્રસૂરિ મ. એ ત્રણ મુનિવરેએ સરસ્વતીની સાધના કરી. દેવી પ્રસન્ન થયા. એટલે હેમચંદ્રાચાર્યે રાજાને પ્રતિષેધ કરવાનુ, મલગિરિજીએ સિદ્ધાન્ત પર વૃત્તિ રચવાનું, અને દેવેન્દ્રસૂરિજીએ બાવન વીરેશને રવ-વશ રાખવાનું, વરદાન માગ્યું. દેવીએ આપ્યું. ત્યાર પછી શ્રીદેવેન્દ્રસૂરિજી ‘પર’વીરાની સહાયથી જૈન કાંચી (દક્ષિણ ભારતમાં-જ્યાં હાલ કાંચીવરમ છે, તે હોઇ શકે) નગરીથી શેરીસાનગરમાં એકરાત્રિમાં મેટા જિનપ્રાસાદ પ્રભુસહિત લાવ્યા. તેથી તે શેરીસાતી તરીકે વિખ્યાત થયું. .S Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy