SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વના હિતચિંતક ૧૧૯ પામેલા પશુઓને સાચવવા-નીભાવવા માટેની ટીપમાં રૂા. ૪ લાખ (સાડા ચાર લાખ) નું અપૂર્વ ભંડોળ એકત્ર થયું. આ ટીપમાં શેઠશ્રી મનસુખભાઈએ રૂ. ૨૫,૦૦૧ (૨૫ હજાર એક) તથા શેઠ અંબાલાલ સારાભાઈએ રૂા. ૧૦,૦૦૧ (દશ હજાર એક) નેંધાવ્યા. પૂજ્યશ્રીની સત્ત્વ–શુદ્ધ વાણીને આ જાદુ જોઈને સૌ કેઈ આફરીન પોકારી ઉઠ્યા. જાદુગર તે દુનિયામાં ઘણાય હોય છે. પણ એ બધાં ઈન્દ્રજાલના સર્જક અને અર્થના અર્જક જ. આ કેઈઈન્દ્રજાલ કે નજરબંધીનો પ્રયોગ નહોતે, અર્થના ઉપાર્જનની કઈ જના (Scheme) નહેતી. આ તે હતો પૂજ્યશ્રીની શાસ્ત્રપૂત વાણીને અલૌકિક ચમત્કાર, અને એની પાછળ હતું જીવદયાનું-અભયદાનનું સર્વોત્કૃષ્ટ બળ. ઈન્દ્રજાલ જેવી વસ્તુનું તે એની આગળ સ્થાન જ ન હતું, પછી સરખામણીની તો વાત જ ક્યાં ? આવી માતબર રકમ એકત્ર થવાથી પાંજરાપોળ ખાતે વર્તાતી પૈસાની તંગી દૂર થઈ હજારે મૂંગા પ્રાણિઓને પ્રાણદાન અને અન્નદાન મળ્યા. સં. ૧૯૬૮ નું માસું પૂજ્યશ્રીએ અમદાવાદમાં કર્યું. આ ચાતુર્માસ દરમ્યાન–પૂર્વે સંઘબહાર મૂકાયેલા શ્રીશિવજી દેવશીએ મુંબઈમાં પૂજ્યશ્રી તથા શેઠ અમરચંદ જસરાજ આદિ ગૃહસ્થની વિરુદ્ધમાં ડેફેમેશન કેસ (Case) કર્યો. પણ પરિણામે તેને જ પરાજય થયે. મુંબઈમાં રહેતા કેટલાંક કચ્છ-કાઠિયાવાડ વ. પ્રાન્તોના ગૃહસ્થ ભેગા થઈને અમદાવાદમાં રહેલી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને મુંબઈમાં લઈ આવવી, એવી હિલચાલ કરવા માંડ્યા. ખટપટની દુનિયાથી અજાણ એવા ગામડાના લેકેને તેઓ ઉંધુ ચત્ત સમજાવતા કે આ. ક. પેઢીના વહીવટદાર પેઢીના પૈસાથી પિતાની મીલે ચલાવે છે. માટે ચેખા હિસાબ માટે પેઢી મુંબઈમાં લાવવી જોઈએ” આથી પેલાં ગામડાવાળા ભાઈ ઓ તેમને આ વાતના સમર્થનમાં પિતાની સહી કરી આપતા. આવી રીતે ખોટો પ્રચાર કરીને એ લોકેએ લગભગ ૨૫૦ સહીઓ એકત્ર કરી. આ બધી હકીકત નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણીભાઈ વ. પેઢીના અગ્રણીઓના જાણવામાં આવતાં, તેમણે આ લોકોને સમજાવ્યા કે : પેઢી અમદાવાદની બહાર જાય, તે પેઢીને ઘણું નુકશાન વેઠવું પડશે. તીર્થોના વહીવટ પણ અવ્યવસ્થિત થઈ જશે. જે પેઢીના ચેપડા વગેરે તપાસવા હોય તે ખુલ્લા જ છે. જેને જેવા હોય તે જોઈ જાય. બાકી વહીવટદારો ઉપર જે અસત્ય આક્ષેપ મૂકવામાં આવે છે તે બિલકુલ યેગ્ય નથી. કદાચ પેઢી તરફથી કઈવાર એજન્ટ ટુ ધ ગવર્નર જનરલ (A.g.g) કે ઈસરોય વગેરે પ્રતિષ્ઠિત વ્યક્તિઓને માનપત્રહારતોરા વિ. કરવું હોય, તો તેને સર્વ ખર્ચ પેઢી ખાતે ન નાખતા, પ્રતિનિધિઓ જ ભોગવી લે છે. વિ.વિ. પણ પેલા લોકો સમજવા જ નહોતા માગતા, પછી ક્યાંથી સમજાય ? તેમણે તે પિતાની ખટપટ ચાલુ જ રાખી. આથી અમદાવાદના દૂરંદેશી શ્રેષ્ઠિઓએ પણ તેમને પ્રતીકાર શરૂ કર્યો. તેઓ લોકોને સત્ય હકીકત સમજાવવા લાગ્યા. આ વખતે શેઠશ્રી મનસુખભાઈને વિચાર આવ્યું કે : “આ બાબતમાં પૂજ્યશ્રી ધ્યાન આપે, ગામોગામના સંઘને પ્રેરણું આપે, તે પેઢી અમદાવાદમાં જ રહે.” આ વિચાર આવતાં જ તેઓએ પૂજ્યશ્રીમાનને વાત કરી, એટલે પૂજ્યશ્રીએ જૈન તત્વવિવેચક સભાના સભ્ય દ્વારા ગામેગામના શ્રીસંઘને આ બાબતમાં પ્રેરણા આપી. પરિણામે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy