SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેષ્ઠ રાજવિનય ૧૦૯ શેઠશ્રી પાસેથી તેઓના ગુરૂ તરીકે આપણા પૂજ્યશ્રીની ઘણી ખ્યાતિ-પ્રશંસા ના. મહારાજાએ સાંભળેલી, તેથી તેમને પણ પૂજ્યશ્રીના દર્શનની, તથા પૂજ્યશ્રી લીમડી પધારે એવી ઉત્કટ ભાવના હતી. તેમણે અમદાવાદ આવીને શેઠને પૂછ્યું કે : ગુરૂ મહારાજ સાહેબ હાલ કાં બિરાજે છે ? શેઠે કહ્યું કે : હાલ તેઓશ્રી બેટાઇ બિરાજે છે, અને થાડા સમયમાં અમદાવાદ પધારે તેવી સ’ભાવના છે. આ સમાચાર મેળવીને મહારાજા થાડા દિવસમાં લીંબડી ગયા. અને લીખડી–શ્રીસંધના આગેવાનાને મેલાવીને તેમને પૂજ્યશ્રીમાને લી'બડી પધારવા માટે વિન ંતિ કરવા માકલ્યા. આ વખતે પૂજ્યશ્રી ઓટાદથી વિહાર કરી ચુકયા હતા. લીમડી–સંઘે પૂજ્યશ્રીને મહારાજા વતી તથા સ ંઘવતી લીંબડી પધારવાના અત્યંત આગ્રહ કર્યાં, પણ પૂજ્યશ્રી ક્ષેત્રસ્પર્શનાએ તે વખતે તે વઢવાણ શહેર પધાર્યાં. અહીંના શ્રી જીવણલાલ વકીલને આંતિરક કારણેાસર જ્ઞાતિ બહાર મૂકવાની વાત ચાલતી હતી. તેથી સ`ઘમાં કલેશ થયેલા. પૂજ્યશ્રીમાન વઢવાણુ પધારતાં જીવણલાલ વકીલ વિ. અને પક્ષાએ પાતપાતાની વાત દલીલપૂર્ણાંક તેઓશ્રી પાસે રજૂ કરી. જીવણલાલ જેવા સારા માણુસ સંઘમાં–જ્ઞાતિમાં હોય, તા સંઘની શાભા સારી રહે, અને કલેશ જાય, એ દૃષ્ટિથી પૂજ્યશ્રીએ તેમને જ્ઞાતિખહાર ન મૂકવાની ભલામણુ શ્રીસંઘને કરી. સંઘે પણ એ શિરાધાય ગણીને એ એ જ પ્રમાણે કર્યું. આથી સઘના કલેશ મટી ગયા. ત્યાંથી પૂજ્યશ્રી વઢવાણુ કે પમાં પધાર્યા. દરમ્યાન ના. લીંબડીનરેશ મુંબઈ ગયેલા. તેએ પાછાં ફરતાં અમદાવાદ ઉતર્યાં. ત્યાં શેઠ પાસેથી જાણ્યુ કે-પૂજ્યશ્રી હાલ વઢવાણુ કે પમાં બિરાજે છે, અને થાડા દિવસમાં વીરમગામ થઈ ને અમદાવાદ પધારશે. આથી ના. મહારાજાએ લીબડી આવીને તુર્તજ પેલા આગેવાન-શ્રાવકોને મેલાવ્યા, અને કહ્યું : “પૂજ્ય મહારાજશ્રી લીખડી કેમ ન આવ્યા ? હવે તમે ફરી વિન ંતિ કરવા જાવ, અને જરૂર લાગે તેા મારૂ ડેપ્યુટેશન (Daputation) પણ લઈ જજો.” આ સાંભળીને શ્રાવકોએ કહ્યું : અમે ફરીવાર જઈને પૂજ્યશ્રીને આગ્રહપૂર્ણાંક વિનંતિ કરીને અહી' લાવીશું. અને તે જ દિવસે તેઓએ વઢવાણુ કે પ જઈ ને પૂજ્યશ્રીને અત્યંત આગ્રહપૂર્વક વિન ંતિ કરી. તેમના અત્યાગ્રહ જોઈ ને પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શનાએ લી’બડી પધારવાની તેમની વિનંતિ સ્વીકારી. આથી શ્રીસ`ઘને તથા ના. મહારાજાને ઘણા આનદ થયા. વઢવાણુ કે'પથી વિહાર કરીને પૂજ્યશ્રીમાન્ અનુક્રમે લીંબડી પધારતાં અહીંના શ્રીસ`ઘે તથા ના. મહારાજાએ ભવ્ય સામૈયું કર્યુ. સામૈયાના બેન્ડ વિ. સર્વ સાધના સ્ટેટના હાવાથી સામૈયામાં એર ભવ્યતા આવી હતી. પ્રથમ—દિવસનું પૂજ્યશ્રીનું મંગલાચરણ-વ્યાખ્યાન સાંભળવા માટે ના. લી'ડીનરેશ સહિત આખુ' ગામ ઉમટયું હતું. પૂજ્યશ્રીએ . મૉંગલ-વ્યાખ્યાનમાં ફરમાવ્યું' કેઃ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy