SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ્ મહારાજાના પ્રતિકારની વિચારણા ચાલી. અજીમગંજ નિવાસી ખણુસાહેબ શ્રીછત્રપતિસિહજી પણ આ સભામાં હાજર હતા. તેમણે ત્યાં જ પ્રતિજ્ઞા કરી કે-“હું ભરસભામાં મહારાજાને ઉડાવી દઇશ, (મારી નાખીશ) પણ મારા પવિત્ર તીર્થાધિરાજની તલભાર પણ આશાતના નહિ થવા દઉં.' ८० સૌના તન–મનમાં એક જ ભાવના હતી કે-કેઈપણ ભાગે આપણા તીર્થાધિરાજની આશાતના અટકાવવી જ જોઈએ. આ સિવાય મીજા વિચાર કે અભિલાષાને કાઇના દિલમાં સ્થાન ન હતું. મુનિશ્રી મણીવિજયજી મ., તથા આપણા ચરિત્રનાયકશ્રીના શિષ્ય મુનિશ્રી ઋદ્ધિવિ જયજી મ. આદિ મુનિવરો પણ મહાતીર્થાંને આશાતનામાંથી ખચાવવા માટે પ્રાણાછાવરા કરવા તૈયાર થઈ ગયા. કયેા જૈન-સપૂત પેાતાના પ્રાણ-પ્યારા તોની રક્ષા માટે—તીથ થી આશાતના અટકાવવા માટે પોતાના પ્રાણ ન્યાછાવર કરવા તૈયાર ન હાય ભલા ! પણ સમયના પારખુ પૂજ્યશ્રીએ એ સૌને વાર્યાં. કારણકે- જૈનેાના રાજ્ય સાથેના સંબંધા વિશેષ ન બગડે તે માટે ખાસ તકેદારી રાખવાની હતી. વળી પેઢી કાયદેસર પગલાં ભરી રહી હતી. તેઓશ્રીએ શ્રીસાગરજી મ. તથા શ્રીમણીવિજયજી મ. આદિ મુનિવરોને પાલિતાણાથી વિહાર કરાવીને ભાવનગર સ્ટેટની માં મેકલી દીધા. કારણ કે-કદાચ સ્ટેટ તરફથી કાંઈક હેરાનગતિ થાય તે અધા ય એક સાથે મુશ્કેલીમાં મૂકાઈ જાય. આ પછી-તેએશ્રીએ શ્રી ભાઈચંદભાઈ નામના એક ખાહેશ અને હિંમતવાન્ શ્રાવકને ખેલાવ્યા. તેમને આ આખુય પ્રકરણ સમજાવીને હવે કેવાં પગલાં લેવા ? તે સમજાવી દીધું. ભાઈચંદભાઇ પણ પૂરા કામેલ હતા. પૂજ્યશ્રીની સૂચના માત્ર જ તેમને બસ હતી. તેમણે તરત જ પેાતાની કામગીરી આરભી દીધી. સર્વપ્રથમ-મહારાજાએ ઇંગારશાપીરના છાપરા –ઓરડી માટેના સામાન તે સ્થાને પહેાંચાડવા,વિ. ખાખતના આપેલા આજ્ઞાપત્રની તથા તેના જવાબની નલેા સિફતથી મેળવી લીધી. તેમાં એકાદ દિવસ જેલમાં પણ જવુ' પડયું, પણ નકકર પુરાવાના અભાવે ખીજે દિવસે તેઓ નિર્દોષ છૂટી ગયા. ત્યારપછી તેઓએ પાલિતાણા અને આજુબાજુના ગામેામાં વસતા આયર કામના ભાઈએને ગુપ્ત રીતે ભેગા કર્યાં, અને તેમને સમજાવ્યા કે ના. મહારાજા ઇંગારશાપીરને બકરાઓના ભાગ આપવા માગે છે. જો તમે નહી' ચૈતા તે અકરાં સાફ થઈ જશે. જે બકરાના આધારે તમારી આજીવિકા છે, એ જો આવી રીતે સાફ થઇ જાય, તે તમારાં ખાળબચ્ચાં ખાશે શુ? આયાનાં મનમાં આ વાત બરાબર ઠસી ગઈ. એટલે ભાઈચ’દભાઇ આયરાને પૂજ્યશ્રી પાસે લઇ આવ્યા. પૂજ્યશ્રીને વંદન કરીને આયરાએ કહ્યુ` કે-“અમે અમારાં બાળબચ્ચાં માટે પણ આવુ. અધમ કાય નહિ થવા દઈ એ. માટે આપ એ ખાખતમાં નિશ્ચિંત રહેજો. પછી ત્યાંથી ગયા. અને તેએ અંદરોઅંદર નકકી કરીને કાઈ ન જાણે તેમ એક રાત્રે ગિરિરાજ ઉપર ઇંગાશાપીરના સ્થાનક આગળ જુદી જુદી દિશાએથી આવીને એકત્ર થયા. અને છાપરૂ' તથા દીવાલ માંધવા માટેના જે સ્ટેટ તરફથી આવેલા સરસામાન હતા, તેને પહાડની ખીથેામાં એવી રીતે ગુમ કરી દીધા કે કોઈનેય એના પત્તા જ ન મળે. એરડી બંધાય તા બકરાને ભાગ ચઢાવાય પણ એરડીના સામાન જ ન હોય ત્યાં એરડી કયાંથી ખાંધે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy