SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ દીદ્રષ્ટા પૂજ્યશ્રી અને ગુરુભક્ત શ્રેષ્ઠવ સૌ સુખપૂર્વક વરતેજ આવી તા ગયા, પણ પ્લેગની હવા અહી પણ આવ્યા વગર ન રહી. પૂ. પંન્યાસજી મ. ના એ શિષ્યા, તથા પૂ. શ્રી મણિવિજયજી મ.ના એક શિષ્ય એમ ત્રણ મુનિએના શરીરે પ્લેગની ગાંઠે દેખા દીધી. તાવ તેા સાથે ખરા જ. આ જોઈ ને પૂ. પન્યાસજી મ. આદિ ચિ'તાતુર બનીને મૂંઝાઈ ગયા. તેએએ પૂજ્યશ્રીને ખેલાવી, પેાતાની મુંઝવણ જણાવીને કહ્યુ', આ બિમાર સાધુએની સંભાળ અને સારવાર તમે કરે. તેમને તમારી દેખરેખ હેડળ રાખેા. 93 ઉપાધિથી હંમેશાં ચેતતા રહેવુ... એ બરાબર, પણ ઉપાધિ આવ્યા પછી એનાથી ડરવુ, એ પૂજ્યશ્રીના સ્વભાવમાં ન હતુ. તેએશ્રી તરતજ પેલા ત્રણે ગ્લાન મુનિને પાતે બિરાજ્યા હતા, તે મકાનમાં લઈ ગયા, અને તેમની કાળજીભરી સારવાર કરવામાં મગ્ન બની ગયા. વરતેજના વતની શ્રીમેરાજ શેઠ, વિ. ગૃહસ્થાને મેલાવીને ઔષધ આદિના પ્રબંધ પણ કરાજ્યેા. પૂજ્યશ્રીની અનવરત કાળજી, અને નિયમિત ઔષધના પ્રભાવે ત્રણે મુનિએ ટુંક સમયમાંજ પ્લેગ-મુકત બની ગયા. પણ ત્યારપછી પૂજ્યશ્રી પાતે તાવથી ઘેરાયા. એક તે યાગ-આરાધના ચાલતી હતી. તેમાં આ પરિશ્રમ પડયા, એટલે તેઓશ્રીને તાવ આવવા લાગ્યા. એક-બે દિવસ થયા. એટલે પૂ. શ્રીમણિવિજયજી મ. એ અમદાવાદ શેર્ડ મનસુખભાઈ ને એ સમાચાર જણાવ્યા. મનસુખભાઈ ને આ સમાચાર મળતાં, તે જ ક્ષણે તેમણે ભાવનગરના પેાતાના પરિચિત હાંશિયાર ડૉકટર (Doctor) ઉપર તાર (Telegram) કર્યાં કે-તમે મારા ખર્ચે વરતેજ પૂ. મહારાજશ્રીની સારવાર માટે જાવ. આ તાર કરીને તેમણે વરતેજ તાર કરવા માંડયા—કે પૂજ્યશ્રીની તખીયતના સમાચાર જણાવેા. તાવ નામ`લ (Normal) થયા કે નહિ ? એક દિવસ-રાતમાં ઉપરાઉપરી તેમણે ૮૦ જેટલા તાર પૂજ્યશ્રીની તખીયત માટે કર્યા. તાર માસ્તર પણ વિચારમાં પડી ગયા કે આ મહારાજ સાહેબ છે કેણુ, કે જેમની તબીયત પૂછાવવા આટલા બધા તાર આવે છે ? આ બાજુ–પૂજ્યશ્રીના તાવ જ્યાં સુધી નામલ ન થાય, ત્યાં સુધી શેઠને સમાચાર પણુ શુ' આપવા ? પણ શેઠના હૈયામાં પૂજ્યશ્રી પ્રત્યે એટલે અનહદ ભક્તિભાવ હતા કે–જેની કોઈ વાત નહિ. એથી જ તેએએ એક દિવસ–રાતમાં ૮૦ તાર કર્યાં હતા. શેઠના એકના એક-વહાલસેાયા પુત્ર-રત્ન શ્રી માણેકલાલભાઈ (માકુભાઇ) આ દિવસેામાં સખ્ત માંદગી ભાગવતા હતા. તેમની ઉંમર નાની હતી. ડૉ. જમનાદાસ તેમની સતત સારવારમાં રહેતા. તેમની સારવાર (Treatment) થી હવે માણેકલાલભાઈની તબીયત કાંઈક સુધારા ઉપર આવતી હતી. o શેઠે એ ડાકટરને કહ્યુ કે–તમે આજે જ વરતેજ જાવ. અને પૂજ્ય મહારાજશ્રીની તમીયત સુધરે ત્યાં સુધી ત્યાં જ રાફાજો, શા. ૧૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy