________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
સૂરિમંત્ર વડે મંત્રિત એવા જળવડે ઋષભદેવ ભગવાનનું, પુંડરીક ગણધરનું, રાયણ પગલાનું, અને શાંતિનાથ ભગવાનને જે ૧૦૮ ઘડા જળવડે પ્રક્ષાલ કરે છે તે, આ લેકમાં ધન વગેરેને પ્રાપ્ત કરનાર થાય છે. (શ. મા. પૃ. ૪૭)
દોષ રહિત એવું આ સિદ્ધક્ષેત્ર મિક્ષ રૂપ રીનો સંગ કરાવવા માટે વેદિકા રૂપ છે. અનંત કેવલ જ્ઞાનવાળાની જેમ આ તીર્થ ઉપકાર કરનાર છે. આ તીર્થ હમેશાં મેક્ષપ્રદની જેમ, સ્થિર, પવિત્ર અને બધાદોષ રહિત છે. રાયણની ઉગમણી દિશામાં સૂર્યોદ્યાન છે. અત્રેના જિનમંદિરના સંગથી પક્ષીઓ પણ આનંદ અનુભવે છે. અહિંના વૃક્ષેને જથ્થ હસાવતાર છે. અત્રેના ઉત્તમ સરોવરનાં પાણી, પ્રાણીઓના અઢાર પ્રકારના કોઢને નાશ કરે છે. તેવું સરવર પૂર્વ દિશામાં અત્રે આવેલ છે. તીર્થને આ મહિમા છે. (શ. મા. પૃ. ૪૯)
શ્રીગિરિરાજના મહિમા ઉપર
શુકરાજાની કથા શુકરાજા નિજ રાજ વિલાસી, ધ્યાન ધરે માસી રે”
(નવાણું પ્રકારી પૂજા, ૧૦ મી પૂજા) ( ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરમાં ઋષભધ્વજ રાજાને પુત્ર મૃગધ્વજ રાજ્ય કરતો હતો. તેને ત્રણ પત્નીઓ હતી. એક વખત તે ક્રીડા કરવા ઉદ્યાનમાં ગયે. રાજ પરિવાર સાથે આમ્રવૃક્ષ નીચે બેઠા હતા. પોતાની પત્નીના અહંકારમાં હતું, ત્યાં શુક (પટ) બે –તેણે રાજાને કૂવાના દેડકા જેવી ઉપમા આપી. રાજા પૂછે છે કે શું મારી સ્ત્રીઓ કરતાં અધિક રુપવાળી કન્યા છે? શુકે કહ્યું કે–
ગાંગલી ઋષિની પુત્રી કમલમાલા આગળ આ બધી નકામી છે. રાજા કહે કયાં છે? શુકે કહ્યું કે ચાલ મારી સાથે. જલદી પવનવેગી ઘોડે મંગાવીને, શુકની પાછળ પાછળ ચાલ્યો. જંગલમાં પહોંરયા, શ્રી આદિનાથ ભગવાનને પ્રાસાદ જે. રાજાએ બહારથી વંદન કર્યું. શુક મંદિરમાં ગયે ને ભગવાનને નમસ્કાર કર્યો, એટલે રાજા મૃગધ્વજે પણ મંદિરમાં જઈને પ્રભુને નમસ્કાર કરી સ્તુતિ કરી.
તે વખતે મંદિરમાં આવેલા ગાંગલી ઋષિએ આનંદથી તે સ્તુતિ સાંભળી. ઋષિએ કહ્યું હે મૃગધ્વજ રાજા મારા આશ્રમે ચાલો. હું અતિથિ સત્કાર કરું, રાજા આશ્રમમાં A ગિરિરાજના મહિમાને જણાવનારી ઘણી જ કથાઓ છે, પણ અમે તે કેક કેક જ આપીશું.
(૨૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org