________________
શ્રીશત્રુજ્ય ગિરિરાજ દર્શન સિદ્ધગિરિરાજ પર મળ મૂત્ર પણ ન કરવાં. કારણ કે સ્વયમેવ ગિરિરાજ તીર્થ રૂપ છે.
ગિરિરાજનું દર્શન, સ્પર્શન, ભોગ અને મોક્ષ બને આપે છે. આ તીર્થાધિરાજ શ્રી આદિનાથ ભગવાનથી અલંકૃત છે, તેથી પણ તે ગાઢ પાપનો નાશ કરે છે. પૂર્વના ભવમાં તપ, દાન કર્યો હોય તો જ જિન ભગવાનની પ્રસન્નતાને પામે છે. તેથી જ સિદ્ધગિરિરાજનું ક્ષણે પણ સેવન કરી શકાય છે.
શ્રીસિદ્ધાચલના મહિનાને જાણ્યા છતાં કેવલી ભગવાન પણ પૂરો વર્ણવી શકતા નથી. (શ. મા. પૃ. ૩૮)
ચરણપાદુકાની પૂજા સિદ્ધાચલ પર રહેલાં યુગાદિ દેવનાં ચરણકમલ (પગલા)ના પૂજન વડે ભવ્ય જીવો વધવા લાયક, સેવવા યોગ્ય તથા પાપ રહિત થાય છે. (શ. મા. પૃ. ૩૯)
માળા વગેરેનું ફળ શત્રુંજય તીર્થ પર પ્રભુ પૂજામાં દશ ફૂલની માલાથી ચાર ઉપવાસનું ફળ મળે તેથી આગળ દશ દશગણી કુલ માલાથી કમે છે, આઠ, યાવત્ માસક્ષમણ વગેરે ફળ મળે છે.
બીજા તીર્થમાં સેના વગેરેના દાનથી જે ફળની પ્રાપ્તિ થતી નથી તે ફળની પ્રાપ્તિ અત્રે એક ઉપવાસ કરવાથી મળે છે. અન્ય તીર્થમાં દુષ્કર તપ કરવાથી, બ્રહ્મચર્ય પાળવાથી જે ફળ થાય છે, તે ફળ સિદ્ધક્ષેત્રમાં એક ઉપવાસથી થાય છે. આ તીર્થમાં પુંડરીકને સ્મરણ કરતો દશવિધ પરચખાણ કરે તે નિવિતપણે સઘળા મને રથ સિદ્ધ કરે છે. છઠ કરવાથી સંપત્તિ મળે છે. આમ કરવાથી મોક્ષ મળે છે. અન્ય ક્ષેત્રે અતિકષ્ટવાળું મહિનાનું તપ કરે અને ફળ મેળવે તે ફળ સિદ્ધક્ષેત્રમાં બે ઘડી જ સર્વ આહાર ત્યાગ કરે તે પ્રાપ્ત કરે. (શ. મા. પૃ. ૪૧).
સિદ્ધગિરિરાજ પર સાધુની પૂજનિકતા સાધારણ સાધુ ચિહ્નને ધારણ કરનાર, મનથી કંકાસ કરનારે, બેડોળ, ગુરુને કડવું બેલનાર આવે તેય ગૌતમસ્વામીને જેમ શ્રેણિક પૂજે તેમ તે આ ગિરિપર પૂજનીય છે. કારણ કે ગુરૂની આરાધના કરવાથી સ્વર્ગે જવાય ને વિરાધના કરવાથી નરકે જવાય. માટે જે ઈચ્છિત હોય તે કરે. (શ. મા. પૃ. ૪૩)
(૧૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org