SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા પિતાના ઘેર લઈ ગયા. જોખમ ગાડીમાંથી પટારામાં મુકાવ્યું. જમ્યા બાદ વાત નીકળતાં શેઠને કહ્યું કે તમારા રૂપિયા વ્યાજ સાથે લઈ ખાતું ચૂકતે કરે. શેઠને આશ્ચર્ય થયું કે-શેના રૂપિયા? શેની વાત? મહેમાને યાદી આપી. હૂંડીની વાત કરી. આપે હૂંડી સ્વીકારી મારી લાજ રાખી હતી. સેમચંદ શેઠે કહ્યું કે રૂપિયા તે જમાં ખરચ નંખાઈ ગયા છે. સંકટમાં આવેલા સાધર્મિકને સહાય કરવી એ તે મારી ફરજ હતી. માટે હવે તો રૂપિયા મારાથી લેવાય નહિ. સવચંદ શેઠ ખૂબ આગ્રહ કરવા લાગ્યા, બન્નેએ રૂપિયા લેવાની ના પાડી. હવે શું કરવું ? છેવટે નક્કી કરવામાં આવ્યું કે આ રકમમાં બીજી રકમ ઉમેરી શ્રી શત્રુંજય ઉપર મંદિર બંધાવવું. આથી શ્રી શત્રુંજય ઉપર આ ઊંચામાં ઊંચી ટૂક બંધાવવામાં આવી. આ રીતે આ ચૌમુખજીની ટ્રકનું સં. ૧૯૭૫ માં નિર્માણ થયું. આથી આને સવા સમજીની ટ્રક પણ કહે છે. આ ટ્રકમાં ચૌમુખજી સન્મુખ સં. ૧૯૭૫માં પ્રતિષ્ઠિત થયેલ શ્રી પુંડરીકસ્વામીનું મંદિર છે. અમદાવાદવાળા શેઠ ડાહ્યાભાઈનું બંધાવેલું સહસ્ત્રકૂટનું દહેરાસર છે. સં. ૧૬૭૫માં શેઠ સુંદરદાસ રતનદાસનું બંધાવેલું શાંતિનાથ ભગવાનનું મંદિર છે. બીજી એક શાંતિનાથ ભગવાનનું મંદિર પણ છે. સં. ૧૮૫૬માં પ્રતિષ્ઠા કરેલ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. શેઠ ખીમજી એમજીએ સં. ૧૬૭૫માં બંધાવેલું શાંતિનાથ ભગવાનનું દહેરાસર છે. આ દહેરાસરમાં પાસણમાં એક ચોવીસી છે. અને ત્રણ વીસીની એક એક પ્રતિમાજીઓ છે. અમદાવાદના શેઠ કરમચંદ હીરાચંદનું સં. ૧૮૮૪માં બંધાવેલું શ્રી સીમંધર સ્વામીનું મંદિર છે. અજમેરવાળા ધનરૂપમલે બંધાવેલું આરસનું એક દહેરાસર છે. ભણસાલી કરમસિંહ અમદાવાદવાળાનું બંધાવેલું અજિતનાથ ભગવાનનું દહેરાસર છે. આ ટ્રકના એક મંદિરમાં પરિકર પર સં. ૧૩૩૭ નો શિલાલેખ છે. અને એક ઠેકાણે સં. ૧૬૭૫ ને શિલાલેખ છે અને બીજે એક ઠેકાણે સં. ૧૬૭૫ ને શિલાલેખ પણ છે. સમવસરણ પર સં. ૧૩૩૭ ને શિલાલેખ છે. સં. ૧૯૮૨માં પ્રતિષ્ઠિત થયેલ ૧૪૫ર ગણધરનાં પગલાં છે. અહીં દેરી નં. ૮૭રમાં એક ધાતુ પ્રતિમા ઉપર સિદ્ધહેમકુમાર સંવત્ એમ ઉલ્લેખ કરેલો મલે છે. આ રીતે આ ખરતરવસહી સલામની ટૂકમાં ૧૧ મેટા દહેરાસરો છે. ૪૧ર પ્રતિમા જીઓ છે. ભમતીમાં ૭૪ દેરીઓ છે. તેમાં ૨૯૧ પ્રતિમાજીઓ છે. બધાં મળીને કુલ્લે પ્રતિમાજી ૭૦૨ છે. પગલાં બધાં ભેગા ગણતાં ૪૨૫૯ (કે ૨૧૫૯) પગલાં હશે. (૧૩) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy