SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૭૩ પિતાને મળેલી સામગ્રીની કિંમત નહિ સમજનારાઓ આવી ભૂલ કરે, તે તેમાં નવાઈ પામવા જેવું નથી, માટે તે કહ્યું કે તમે અજ્ઞાન રહ્યા છે, તે પણ તમારાં સંતાને અજ્ઞાન રહેવા પામે નહિ, એ માટે યોગ્ય કરવાનું વિચાર કરવા જરૂરી છે ! સવ નો પિતાતને સ્થાને સાચા છે ! સામાન્ય રીતિએ ઈતર દશને એક એક નયને પકડીને ચાલનારાં છે; જ્યારે, શ્રી જન દર્શનમાં સર્વ નયને પિતા પોતાને સ્થાને માન્ય કરવામાં આવ્યા છે. આથી, કેઈ એક પણ નયના પ્રતિપાદનને મળતું પ્રતિપાદન શ્રી જન શાસ્ત્રમાં મળી આવે અને તેથી તત્ત્વને નહિ સમજનારાઓને એમ પણ થઈ જાય કે જૈન શાસન બધાં દર્શનને સાચાં માને છે. ખરેખર, જેટલાં નયવાદી દર્શનો છે, તે જ્યાં સુધી પોતાના મતનું નિરૂપણ કરતાં હોય ત્યાં સુધી, એટલે કે-એક નયનું પ્રતિપાદન કરવા માત્રથી જ, ખોટાં ઠરી જતાં નથી, પણ એક એક નયને પકડીને ચાલનારાં દર્શને, એટલેથી જ અટક્તાં નથી. એ દશને અન્ય નયવાદોને બેટા જ ઠરાવીને, પિતે સાચા કરવા માગે છે અને ત્યાં જ એ ભૂલ કરે છે. શ્રી જૈન શાસન, એકાન્ત એવા કેઈ પણ પ્રકારના નયવાદને બેટે માને છે; છતાં, એ ભૂલવા જેવું નથી કે શ્રી જૈન શાસન દરેકે દરેક નયવાદને પોતપિતાના સ્થાને સાચા તરીકે ગ્રહણ કરે છે. એટલે, અવસરે એ એક નયની વાતનું પ્રતિપાદન કરે, તે પણ અન્ય નયવાદની અપેક્ષાને ગ્રહણ કરીને જ એમ કરે. જૈન શાસ્ત્રમાં બધા નયને પિતપતાના સ્થાને વિનિયોગ કરવાપૂર્વક, બધા નયને માન્ય રાખવામાં આવ્યા છે, એટલે, નિશ્ચયથી પરિકમિંત મતિવાળા સમ્યગદષ્ટિ આત્માઓમાં, સર્વનને વિષે સુન્દર પ્રકારનું માધ્યશ્યભાવ હોય છે, પણ એ આત્માઓનું સર્વ નયને વિષે જે શ્રદ્ધા ન હોય છે, તે સર્વ નયને પોતપોતાના સ્થાને સાચા માનવા, એવા પ્રકારનું હોય છે. સર્વ– ધર્મન્સમભાવની વાત કરનારાઓમાં, જેઓ જન શાસ્ત્રોને ભણેલા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy