SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૫૩ રાખી બેઠે છું? મારી મમતા કેમ જતી નથી? મારી મમતા જાય એ માટે હું વગર મને પણ સદુપયોગ કરવા માંડું !” મમતા કહે કે- રહેવા દે” ત્યારે તમને થવું જોઈએ કે-“મારે તને કાઢવી છે, માટે હું દાનમાં આપવાને !” વાત એ છે કે–આ બધું રાખવું એ પાપ છે, એમ લાગ્યું છે? પાપ લાગે તે થાય કે-“માણસ નાને ને બે મેટ ! ગધેડા ઉપર વધુ ભાર ભરીએ, તે એ બેસી જાય છે ને આ પરિગ્રહના જાથી હું કેમ અકળાતે નથી ? હું તે મારા આત્મા ઉપર પાપને ભાર લાદ્યા કરું છું ! અહીં મમતામાં મરું છું ને પરભવમાં આ પાપ છોડશે નહિ!” તમે ધર્મક્રિયાઓ કરે છે, તે શા માટે કરો છો? પાપક્રિયાઓ ગમતી નથી, માટે ને? પાકિયાઓથી છૂટવાને માટે ધર્મક્રિયાઓ છે, એવું જે તમે જાણ્યું હોત, તો તમે પોતે જ વિચાર કરત કે-“હું આટલી બધી ધર્મક્રિયા કરું છું, છતાં પણ મને પાકિયાઓને તજવાનું મન થતું નથી, તે તેનું કારણ શું ? જે મને પાપ ગમતું જ રહેશે, તે આ ધર્મક્રિયાઓ મારે શી રીતિએ વિસ્તાર કરી શકશે?” હું હૈયાને ભૂંડો હોઉં તેથી ડૂબું, તે એમાં ધર્મકિયાએ શું કરે? એમ પણ તમને થાય ને? સમ્યગ્દષ્ટિને પાપી ન કહેવાય? એક માત્ર મિથ્યાત્વ જાય, તે પણ એથી આત્માને એટલે માટે ફાયદો થઈ જાય કે-દુર્ગતિનાં કારણે પણ એને માટે દુર્ગતિનાં કારણે બની શકતાં નથી. શાથી? આત્માના પરિણામમાં એથી ગજબને પલટો આવી જવા પામે છે. આત્માની આખી રુચિ જ બદલાઈ જાય છે. અવિરતિનો ઉદય ગમે તેટલું જોરદાર હોય, પણ સાથે મિથ્યાત્વને ઉદય ન હોય, તે એ અવિરતિને ઉદય પાપથી આત્માને વિરામ પામવા દે નહિ તે છતાં પણ, એનું હૈયું પાપી, હોય નહિ. અવિરતિના ઉદયથી, સમ્યગ્દષ્ટિ આત્માય પાપ સેવનારે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy