SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનનાં પ્રકીર્ણ કિરણે [૫૧૩ ધૂળમાં મેળવવા સાથે પ્રભુશાસનની પ્રાપ્તિને ભવાનરમાં પણ દુર્લભ બનાવશો. ખરેખર સમ્યગ્દર્શનની હાજરીમાં આવાં યથેચ્છ વિધાન થવાં અસંભવિત ગણાય. મધ્યમ પાત્ર તરીકે વર્ણવતા ગૃહસ્થના ત્રણ ગુણેમાં પણ“ સ નાત.” આ પ્રમાણે કહી, પ્રથમ ગુણ તરીકે ઉપકારીએ સમ્યગ્દર્શનને જણાવે છે. સમ્યગ્દર્શન, દેશચારિત્ર અને સર્વવિરતિની ઈચ્છા–આ ત્રણ ગુણવાળા ગૃહસ્થો મધ્યમ પાત્ર છે. એમ જાણ્યા પછી તરત જ સમજાશે કે–ઉત્તમ પાત્ર તરીકે સાધુઓને વર્ણવતું શ્રી જૈનશાસન મધ્યમ પાત્ર તરીકે દેશવિરતિધર શ્રાવકને જ વર્ણવે છે. દેશવિરતિધર શ્રાવકોમાં પણ સમ્યગ્દર્શન અવશ્ય જોઈએ. સમ્યગ્દર્શન વિના અને સર્વવિરતિની લાલસા વિના દેશવિરતિને પરિણામ પણ હોઈ શકતું નથી. સાધુઓમાં જેમ સમ્યગદર્શન ગુણ જરૂરી છે, તેમ દેશવિરતિધર શ્રાવકોમાં પણ સમ્યગદર્શન ગુણ જરૂરી છે જ. “સમ્યગદર્શન ગુણ મહત્વને હોવા છતાં પણ, એને કરતાંય દેશવિરતિ અને સર્વવિરતિ આદિ પણ મહત્વના જ છે, એટલે “સર્વવિરતિમાં રહેલ સાધુ જે નિજર કરે તેના કરતાં અનાદિ મિથ્યાદષ્ટિ જીવ, સમ્યકત્વ પામતી વખતે અિસંખ્યાતગુણી નિ જરા કરે.-આ પ્રમાણે કહેવું, એ કાં તો અજ્ઞાન છે અથવા તે ઉમાદ છે. સમ્યક્ત્વ પામતી વખતે જે કર્મલઘુતા જોઈએ, તેના કરતાં દેશવિરતિ પામવામાં અધિક કર્મલઘુતા હેવી જોઈએ, અને એના કરતાંય સવવિરતિ પામવામાં અધિક કમલઘુતા જોઈએ. અનંત ઉપકારીઓ તે–પ્રથમ સમ્યક્ત્વને પામતી વખતે આત્મા જે નિર્જરા કરે છે, તેના કરતાં સમ્યકૂવને પામેલે આત્મા અસંખ્યાત ગુણ નિર્જરા કરે છે.—આ પ્રમાણે ફરમાવે છે એટલું જ નહિ, પણ વધુમાં તે પરમર્ષિએ તે એમ પણ ફરમાવે છે કે સમ્યગ્રદર્શનને પામેલા છે જે નિર્ભર કરે છે, તેના કરતાં પણ દેશવિરતિપણાને પામવાની ઈચ્છાવાળા જેને, દેશવિરતિને પામવાની ઈચ્છાવાળા જ કરતાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy