SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ કર૪] સમ્યગદર્શન-૧ સકરણી એ વસ્તુતઃ સત્કરણ છે કે નહિ અથવા તે એ જીવના મેક્ષમાં કારણરૂપ બની શકે તેમ છે કે નહિ, તેને નિર્ણય કરવા માટે “સમ્યગ્દર્શન ગુણ છે કે નહિ?—એ જેવું પડે છે. સમ્યગ્દર્શન ગુણ એ અધ્યાત્મભાવને પ્રાદુર્ભાવ થયા વિના પ્રગટી શકતું નથી. જીવને જ્યાં સુધી “વિષયજનિત સુખ અને કષાયજનિત સુખ એ વસ્તુતઃ સુખ નથી, પણ સુખાભાસ છે અને વાસ્તવિક સુખ તે આત્મામાં જ રહેલું છે.”—એમ લાગતું નથી, ત્યાં સુધી સમ્યગ્દર્શન ગુણ પ્રગટી શકતું નથી. જેનામાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટે છે, તેનામાં મોક્ષને અભિલાષ તે હોય જ છે, પરંતુ એને મોક્ષના અભિલાષના વિરોધી જેટલા અભિલાશે, તે વર્જવા ગ્ય લાગે છે, કારણ કે તે અભિલાષે તેને પાપને જ કારણ રૂપ લાગે છે. મેક્ષના અભિલાષ સાથે, સમ્યગ્દષ્ટિ જીવમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જે માર્ગ દર્શાવ્યા છે, તે એક જ માર્ગને સેવવાને અભિલાષ હોય છે અને એ માર્ગથી પ્રતિકૂળ જેટલું વર્તન તે બધું તેને પાપરૂપ લાગે છે. એને પોતાના દેહ ઉપરને પણ પિતાને મમતાભાવ પાપરૂપ લાગે છે, ત્યાં એને કુટુંબ, ગામ, જિલ્લા અને દેશ આદિ ઉપરનો મમત્વભાવ આદરણીય લાગે જ ક્યાંથી ? એનું પરમ લક્ષ્ય, પિતાની તેમ જ અન્યની આ ન્નતિનું હોય છે, પરંતુ કેઈની પણ પૌગલિક ઉન્નતિનું હોતું નથી. દેવ-ગુરુ-ધર્મની ઉપાસનામાં એ પિતાનું હિત માને છે અને દેવ-ગુરુ-ધર્મના શુદ્ધ સ્વરૂપને જ તે ઉપાસક હોય છે. દુનિયામાં દેવ તરીકે મનાતા અને પૂજાતા દેવ પૈકીના શ્રી વીતરાગ અને સર્વજ્ઞ દેવે સિવાયના સર્વ દેવને તે કુદેવ માને છે; શ્રી વીતરાગ અને સર્વજ્ઞ એવા દેવે કહેલા મોક્ષમાર્ગની જ એકાન્ત ઉપાસના કરનારા નિગ્રંથ મુનિઓ સિવાયને સર્વ ત્યાગીઓને એ કુગુરુ માને છે. તેમજ જે ધર્મની શ્રી વીતરાગ અને સર્વજ્ઞ એવા ભગવાને સ્વતંત્રપણે પ્રરૂપણ કરેલી નથી, એવા સર્વ ધર્મોને એ કુધર્મો માને છે. આમ કુદેવાદિના ત્યાગપૂર્વક સુવાદિની ઉપાસના કરવી, એમાં જ આત્માનું અને જગતના જીવ માત્રનું પણ વાસ્તવિક કેટિનું કલ્યાણ છે, એમ એ માને છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy