SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬] સમ્યગદર્શન-૧ સંસાર કહેવામાં બે અને માનવામાં સારે, એ દશા ને હેવી જોઈએ? જે આત્માએ શ્રી જિનેશ્વરદેવને ઓળખતા નથી, શ્રી જિનેવરદેએ કહેલા માર્ગને જાણતા નથી, તે આત્માઓની વાત જુદી છેઃ પણ જે આત્માઓ એમ કહે છે કે-“અમે શ્રી જિનેશ્વરદેવને ઓળખીએ છીએ, શ્રી જિનેશ્વરદેવના માર્ગને જાણીએ છીએ અને શ્રી જિનેશ્વરદેએ જે કહ્યું તે જ સાચું અને નિશંક એમ અમારો આત્મા સાક્ષી પૂરે છે.” તે આત્માઓ વાસ્તવિક આરાધનાથી કેમ વંચિત રહે ? અને કર્મચગે કદાચ વંચિત થવાય પણ એનું દુઃખ કેમ ન હોય ? શ્રી જિનેશ્વરદેવે સંસારને દુઃખમય, દુઃખફલક અને દુઃખપરંપરક કહ્યો છે, એમ જાણવા છતાં પણ સંસાર જેમને ઉપાદેય લાગે તેઓએ પિતાની દુર્દશા માટે ખૂબ જ વિચારવા જેવું છે. સંસાર કહેવામાં બૂરે અને માનવામાં સારે, એ દશા ન હોવી જોઈએ. સંસારને બૂરો કહીએ છીએ, પણ સંસાર બૂરો લાગે છે કે કેમ એ વિચારવાની જરૂર છે. શ્રી જિનેશ્વરદેવેએ જે જે વસ્તુઓ આત્માને હાનિકર જણાવી છે, દુઃખદાયી જણાવી છે, તે તે વસ્તુઓ આત્માને તેવી લાગે છે કે કેમ ? એમ વિચારતાં અંતઃકરણ જે ના પાડતું હોય તે બેટા ભ્રમમાં નહિ તણાવું જોઈએ. સૌ પોત પોતાની દશાને ખ્યાલ કરી શકે છે. જેને વસ્તુ સ્વરૂપ હૃદયમાં જગ્યું હોય તે ભાગ્યશાલી છે અને જેને ન જગ્યું હોય તેણે તે જચાવવા ઉદ્યમશીલ બનવાની જરૂર છે. બૂરી વસ્તુને બૂરી તરીકે હૃદયથી સ્વીકાર ન થાય, તે એને છેડવાના ઉપાયો અને એથી પ્રતિપક્ષી ગ્રહણ કરવાના ઉપાયે ગળે ન ઊતરે એ સ્વાભાવિક છે. અભ્યાસરૂ૫ આરાધના : : આજે તમારામાં જેટલી શક્તિ છે તે મુજબ જે ધર્મ કરવા માંડે, તે પણ એનું ઘણું સુન્દર પરિણામ આવ્યા વિના રહે નહિ. છેવટ એમ પણ થતું હોય કે–બને એટલે ધર્મ તે કરે, તે એ ભાવના પણ વખાણવા જેવી છે. અભ્યાસરૂપે પણ ધર્મક્રિયાઓ આચરી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy