SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ } સમ્યગદશન-૧ શકે નહિ!” પણ, માનમાં અતિશય જકડાઈ ગયેલાએ, આ વાતને વિસરી જાય છે. “ક્યાં હું અલ્પજ્ઞાની અને ક્યાં એ અનન્તજ્ઞાની ?” –એ વાતને ભૂલી જઈને, અનન્તજ્ઞાનીના વચનની પ્રમાણિક્તાને વિષે સંશયને જ સેવ્યા કરે; અથવા તે, “એ તારકનું વચન ખોટું છે.” .--એવું માનવાની મૂર્ખાઈ કરે તે એ માન કષાયને જે-તે પ્રભાવ છે? મહા સમર્થો પણ, આ માન કષાયને અતિ આધીન બની જતાં, પટકાઈ જાય છે, અને તેઓ એવા પણ પાપને ઉપાર્જનારા બની જાય એ સંભવિત છે, કે જે પાપના યોગે તેઓ ઘણા લાંબા કાળને માટે પણ સંસારમાં ભટકનારા બની જાય. x અનાબેગ મિથ્યાત્વ : - પાંચમું મિથ્યાત્વ અનાગ નામનું છે. આ વિષયમાં આપણે કહી આવ્યા છીએ કે-સાક્ષાત્ પણ તત્ત્વની અપ્રતિપત્તિ અને પરંપરાએ પણ તત્વની અપ્રતિષત્તિ, એને અનાગ મિથ્યાત્વ કહેવાય છે. એકેન્દ્રિય આદિ જીવોને જે મિથ્યાત્વ હોય છે, તેને અનાભોગ મિથ્યાત્વ કહેવાય છે. પંચેન્દ્રિય જીવોમાં પણ જેઓ મુગ્ધ હેય, એટલે કે-“તત્વ શું અને અતત્વ શું?”—એવા પ્રકારના અધ્યવસાયથી જેઓ રહિત હોય, તેવા જીવોને જે મિથ્યાત્વ હોય છે, તે તેને અનાભોગ મિથ્યાત્વ કહેવાય છે. 您凝凝蜜蜜蜜蜜蜜密密密紧密蜜蜜感紧密紧密遂凝蜜蜜 मिथ्यात्वं परमो रोगो, मिथ्यात्वं परमं तमः । मिथ्यात्वं परमःशत्रुः, मिथ्यात्वं परमं विषम् ।। મિથ્યાત્વ, એ પરમ રિગ છે. મિથ્યાત્વ, એ ગાઢ અંધકાર છે. મિથ્યાત્વ, એ માટે શત્ર છે. મિથ્યાત્વ, એ ઉગ્ર વિષ છે. साक्षात्परम्परया च तत्वाप्रतिपत्तिरनाभोगम् । यपैकेन्द्रियादमा तत्त्वातत्त्वान. નારાયવર પોrat | –ધમીક્ષા બ્લેક ૮ની ટીકા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy