SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર [ ૯૫ માગણી કરી હતી, તેમ એ પરિવ્રાજકે પણ જે શ્રીગુપ્ત નામના એ આચાર્યભગવાનની પાસે વાની માગણી કરી હત, તે એ આચાર્યભગવાન, શ્રી જનશાસનની લઘુતા ન થાય, એ માટે જરૂર લાગત તે એવા પણ પણ વાદીની સાથે વાદમાં ઊતરત. “વાદી અપ્રમાણિકતા અને નફફટાઈ આચરે એવે છે. એવું જાણવા છતાંય, શાસનની લઘુતા ન થાય-એ વગેરે કારણે એવાની જોડેય મહાપુરુષને વાદમાં ઊતરવું પડે, એ શક્ય છે. આપણે જોઈ આવ્યા કે-જે આચાર્ય મહારાજ એ પરિવ્રાજકની સાથે વાદમાં ઊતરવાને ઇચ્છતા નહોતા અને રહગુપ્ત મુનિ પણ એની સાથે વાદમાં ઊતરે તે સારું નહિ–એમ માનતા હતા; તે જ આચાર્ય મહારાજે જ્યારે જોયું કે-આ રોહગુપ્ત મુનિ વાદ કરવાને માટે ગયા વિના રહેવાને નથી અને વાદ કરવા જશે તે પેલ. ઉપદ્રવ કર્યા વિના રહેવાને નથી; વળી, એ ઉપદ્રવમાં આ ટકી શકશે નહિ અને આ જ એ ઉપદ્રવમાં નહિ ટકી શકે, તે પરિણામે શ્રી જૈનશાસનની અપભ્રાજના થશે.”—ત્યારે એમણે શું કર્યું? પિતાને ગેરવ્યાજબી લાગ્યું છે–એવું પણ કૃત્ય કરવાને તૈયાર થઈ ગયેલા ચેલાને, શાસનની અપભ્રાજના થવા પામે નહિ અને જૈન–મુનિનું રક્ષણ થાય એ હેતુથી, સાત વિદ્યાઓ પણ આપી અને રજોહરણ પણ મંત્રીને આપ્યું. ભગવાનનું શાસન, એ મહાપુરુષોના હૈયે કેવું અને કેટલું વસેલું હતું, તે આવા પ્રસંગોથી પણ જાણી શકાય. રાહત મુનિ, ગુરુમહારાજે આપેલી સાત વિદ્યાઓને અને મંત્રીને આપેલા રજોહરણને ગ્રહણ કરીને, રાજસભામાં ગયા. પિટ્ટશાલ પરિવ્રાજક પણ ત્યાં આવી પહોંચ્યું હતું. ત્યાં પહોંચીને રેહગુપ્ત મુનિએ કહ્યું કે-“આ પરિવ્રાજક મિથ્યા પંડિતાઈને ઘમંડ કરે છે, માટે તે જ પહેલે વાદ કરે.” એટલે કે–એને જે વાતનું ખંડન કરવું હિય તે વાતનું તે ભલે મંડન કરે, હું તેની વાતનું ખંડન કરીશ.” પરિવ્રાજકમાં અક્કલ નહેતી એમ નહિ, પણ એના ધમડે એની અક્કલને આવરી લીધી હતી, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy