SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૧) ખેદને અવકાશ આપે ન હતું. અત્યારે તે પિતાની નિત્યક્રિયા ઉપરાંત રંટીયાથી પિતાનું પિષણ કરતી હતી, ડેસીના પડી જેવા ઘરમાં રહેતાં તે મહેલમાં રહેવા કરતાં પોતાની વધારે સુખી સમજતી હતી, વળી ડેસીમાની પ્રકૃતિ તેને એટલી બધી અનુકૂળ થઈ પડી કે તેણે પોતાના પૂર્વના સુખ-વૈભવ બધા ભૂલી ગઈ. નવરાશના વખતમાં રેંટીયો કાંતતાં ધર્મ કથા અને ભકિત તથા પ્રતિબંધક પદો ગાઈને તે બંને પિતાના જીવનને કૃતાર્થ માનતી હતી, ડેસીનું ઘણું ખરું ઘરનું કામ વિજયાજ કરતી અને તેથી તેના પ્રત્યે ડેસીનું હેત એટલે સુધી વધવા પામ્યું કે રાત્રે ઉંઘતા પણ ડેસને વિજયાના સ્વપ્નાં આવતાં હતાં. જેમ ડેસીને સદ્ભાવ વિજયા પ્રત્યે વધતે ગયે, તેમ સરસ્વતી પણ તેને બહુજ ચાહતી હતી. કેઈવાર વિજયા પિતાને ત્યાં ન આવે, તે તેણીને દિવસ ગાળવે મુશ્કેલ થઈ પડતું વિજયા પ્રતિદિન સરસ્વતીને ત્યાં આવતી અને સારી ઉપગી બાબતનું વર્ણન કરી તેને સમજાવતી, સમાજસેવા, જ્ઞાતિસેવા, ધર્મસેવા, અને દીનસેવા–એ વિગેરે સેવાના સૂત્રો તેના અંતરમાં તે ઠસાવતી અને સરસ્વતી પણ તે બધું માન્ય કરતી હતી. એક દિવસે સરસ્વતીને રેંટીયાનું મહત્ત્વ સમજાવવાની વિજયાની ઈચ્છા થઈ. એટલે તેણે તેને પિતાના સ્થાને તેડી. ગઈ. ત્યાં વિજયાની રેંટીયાની પ્રવૃત્તિ જોઈને સરસ્વતીના મનને વિજયાને માટે બહુ લાગી આવ્યું. પિતાની પરમ ઉપકારી વિજયાની પતે કંઈપણ બરદાસ કરી શકી નથી, તેને માટે સરસ્વતીને બહુજ ખેદ થઈ આવ્યા. તે તરતજ સખેદ વદને બોલી –“વિજયા હેન! મને અગાઉથી ખબર હોત તે તમને આવી સ્થિતિમાં રહેવા ન દેત હ તે ધારતી હતી કે–તમે તમારીહવેલીમાં રહે છે અને ઘણું સુખી છે, પણ આજે આ તમારી , ગરીબાઈ જોઈને મારું દિલ દગ્ધ થઈ જાય છે, તમે એક પ્રધાનના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005296
Book TitleKarm Pariksha yane Daivi Chakrano Chamatkar
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy