SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૩). મેં સતીઓને સતાવી હશે અગર તેમની મશ્કરી કરી હશે. પશુ પંખીના જોડલાં વિખુટાં પાડયાં હશે, નિર્દોષ કામિનીપર કલંક ચડાવ્યાં હશે પત્ની–પતિ વચ્ચે કલહ કરાવી તેમને વિગ કરાવ્યું હશે. નિરપરાધી પ્રાણીઓને હસતાં હસતાં ત્રાસ પમાડયા હશે વિરહાગ્નિમાં બળતી બાળાઓને હાસ્ય– ઠઠ્ઠા કરી વધારે બાળી હશે—ઇત્યાદિ પૂર્વકૃત કર્મના ભેગે અત્યારે હું પતિ વિરહ પામી. અહા ! અહીં મને પીયર કે શ્વશુર પક્ષનો પણ કંઈ આધાર નથી. વનમૃગલીની જેમ વીખુટી પડેલી હું એકલડી નિરાધાર બની બેઠી છું.” એ પ્રમાણે વિચાર શ્રેણિને લંબાવ્યા પછી આકાશ તરફ દષ્ટિ જતાં મંત્રિમાનિની એકદમ ચમકી ગઈ. ચાતરફ નજર કરતાં અંધકાર વ્યાપી ગયે હતો અચાનક તેનું અંતર વિરહના વિચાર કરતાં અટકી પડયું થવાનું હતું તે તો થયું, પણ હવે પછીના માટે તે ચિંતા કરવા લાગી—“અહો ! વિચારમાંને વિચારમાં માથે રાત પડી, તેનું પણ મને ભાન ન રહ્યું. હવે મારે ગામને આશ્રય લેવાની જરૂર છે. અહા આવી ઘોર અંધકારમય રાત્રિ પણ તારાના તેજથી જાણે જગતને આશ્વાસન આપી રહી હોય એમ ભાસે છે. દુઃખમય જીવનમાં પણ દેવ મનુષ્યને માટે કંઈક તે આશ્વાસનનું સ્થાન રાખીજ મૂકે છે. મને પતિનો વિયેગ આપે. છતાં મારે માટે કંઈક આશ્વાસન મળે તેવું તો આગળ શોધીજ રાખ્યું હશે. એમ ચિતવીને વિજ્યસુંદરી નગર ભણી ચાલી. ઘોર અંધકારમાં આથડતી આ એકલી અંગના દેવપર વિશ્વાસ રાખીને નગરના દરવાજા પાસે આવી. દરવાજાની અંદર અત્યારે અંધારી રાત્રે દાખલ થતાં વખતસર દરવાન સતાવશે ચા પૂછપરછ કરીને ઓળખાણ માગશે અને વખતસર મને અજાણી સમજીને રાજા સુધી પહોંચાડશે; તે મારે શીલરક્ષણનું સંકટ માથે આવી પડશે.” એમ ધારીને દરવાજાની બહાર એક ઝુંપડામાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005296
Book TitleKarm Pariksha yane Daivi Chakrano Chamatkar
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy