SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૭) તેને વળાવવા માટે તેમજ કાંઇ મન માનતી પહેરામણી લેવા માટે ભેગા થયા છે.’ એમ સાંભળતાં મતિસાગર મત્રી કઈક દાન લેવાના ઇરાદાથી પેાતાની સ્ત્રીને તે મંદિરમાં મૂકીને તરત સમુદ્રતટ તરફ દોડયા. મત્રી ત્યાં પહોંચ્યા તે વખતે શ્રીપતિ શેઠ વહાણમાં બેસી ગયા હતા, છતાં તે અંદર દાખલ થઈ ગયે. પણ તે વહાણમાં દાખલ થતાંજ વહાણનું લંગર ઉપડયું અને તે ચાલતું થયું. શેઠ પેાતાના વાણેાતર સાથે વાતે ચડયા, તેવામાં વહાણ કિનારાથી દૂર નીકળી ગયુ. આ વખતે સામે ઉભેલ મંત્રી તરક શેઠની નજર પડી. એટલે તેને વાણેાતર મારફતે તેણે દાન અપાયું, પણ ઉપર આવીને મંત્રીએ જોયુ, તેા કિનારો અહુ દૂર રહી ગયા, તેટલે દૂર તરીને પણ પહોંચાય તેમ ન હતું, તેથી તે ચાતરમ્ મહાસાગરનું પાણી જોતા ત્યાંજ ઉભો રહ્યો. થોડી વાર પછી મંત્રી શેઠની પાસે ગયા. તેણે બધા વૃત્તાંત પૂછ્યા. છેવટે શેઠે કહ્યું કે- તને હિંસાખ અને વેપાર કરત આવડે છે ? ' એટલે મત્રીએ ઉત્તર આપ્યા હા, મને બધું આવડે છે.’ આથી શેઠે તેને મુનીમ તરીકે રાખી લીધે. * હવે અહીં બહુ વખત થયા છતાં મત્રી આવ્યે નહિ. એમ કરતાં માર થયા, છતાં મંત્રીના દન ન થયાં, આથી વિજયસુંદરીનું મન ગભરાવા લાગ્યું, મહીં પોતાની પીછાનનું કાઇ માણસ ન હતું કે જેથી તે તેને મંત્રીના સમાચાર પુછે, પાતે સ્ત્રી જાત એકલી તેને શેાધવા પણ ક્યાં જાય? લગભગ સાંજ પડવા માવી, છતાં મંત્રીના પત્તો ન મળ્યા. ઉપવનમાં તે બિચારી એકલી આમ તેમ ટગર ટગર જોઈ રહી હતી. પક્ષીએ પેાતાના વ્હાલાં અચ્ચાંઓને ભેટવા માળા તરફ જતાં હતાં, ગાયાના ટાળાં વનમાંથી નગર ભણી આવતાં હતાં, મજુરા પેાતાન કામથી પરવારીને વિશ્રાંતિ લેવા પેાતાના સ્થાન ભણી જતા હતા, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005296
Book TitleKarm Pariksha yane Daivi Chakrano Chamatkar
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy