________________
સહજ અવસ્થા
করুক্ষ
૧. અતૃપ્ત કામના
આ પ્રકરણમાં આ ગ્રંથ-પ્રબંધને સમાપ્ત કરું છું કારણ કે વિકલ્પોને કંઈ પાર નથી. પ્રત્યેક અધિકારમાં અનેક વિકલ્પો ઊઠે છે. શાસ્ત્રસમુદ્રને પાર પામ કઠણ છે. આ પૂરા થનને સારાંશ ગ્રહણ કરે ઉચિત છે. કે બહાર તથા અંદર સર્વત્ર એક તાત્વિક વ્યવસ્થા છે, જેમાં મનુષ્યને પોતાને કંઈ કરવાનું રહેતું નથી. છતાં માનવ મન અત્યંત સંકુચિત હોવાને કારણે અહંકાર પિતે કર્તવને માને છે. જ્ઞાનને આશ્રય છેડીને બહિ:કરણ તથા અંતઃકરણને આશ્રય લે એ તેને સ્વભાવ છે, તેવી જીવને અનાદિની ટેવ છે, તેને કારણે વ્યાપક “અહ” સંકીર્ણ થઈને અહંકાર બની જાય છે. કરણેને આધીન હોવાથી સ્વયં પરતત્ર છે, છતાં પિતાના વ્યાપક સ્વરૂપને ન જાણવાથી તે કૂપમંડૂકની જેમ એ પરતંત્રતામાં સ્વતંત્રતાની કલ્પના કરે છે. પરંતુ પારમાર્થિક સ્વતંત્રતાને તેને ખ્યાલ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org