SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ ઉપર વરસી ચૂકેલા આ સીતમની કહાણી અશાકવાળા શિલા લેખ પણ ઉચ્ચારે છે. અસંખ્ય કલિંગવાસીઓ કપાઈ મુ હતા, એડીઓથી બધાયા હતા અને નગરા ઉજ્જડ બન્યાં હતાં તેમજ ધર્મધ્યાન કરનારા સાધુએ હેરાન થયા હતા એ હકીકત અશાકના પોતાના લેખમાં પણુ છે. એવું અનુમાન નીકળે છે કે અશાકની સવારી પછી કલિંગની જે દુર્દશા થવા પામી હતી તે ખારવેલે સુધારી, તેણે દેશનાં મૈત્ય મદિશ વગેરેની પુનઃ પ્રતિષ્ઠા કરી. કલિંગનુ ઝાંખુ પડેલું અશ્વ ફ્રી એકવાર તેણે પ્રકટાવ્યું. લિગમાં પહેલેથી જ એટલે કે ધણા લાંબા વખતથી જૈનધર્મના પ્રચાર હતા એ વાત પણ આ શિલાલેખમાં છે. અશાકના પ્રમળ આક્રમણુને લીધે પ્રચલિત જૈનધર્મને પણ વેઠવું પડયું હેાય એમ લાગે છે. મહારાજા ખારવેલે એ લુપ્ત થતા ધર્મોના પુનઃહાર કર્યાં. જીનશાસનના સાધુ સંપ્રદાય માટે તેણે ઉપાશ્રયે બધાવ્યા અને જે ગુ થઈ ગયા હતા તેની મમત કરાવી. ખારવેલ કેત્રળ ધાર્મિક ન હતેા. તે શૌય વા માં પણ કાષ્ટ રીતે ઉતરતા ન હતા. એ વખતના પ્રસિદ્ધ રાજા શાતકીની પણ એણે મુદ્દલ પરવા ન કરી. દેશે . દેશમાં દિશાએમાં એના વિજયગૌરવના ટંકાર ગાજી રહ્યો. સ્વગપુરની ગુઢ્ઢામાંથી જે શિલાલેખ મળ્યા છે તે તેા ખારવેલને એક ચક્રવર્તી રાજા તિરકે એળખાવે છે. જે મગધરાજના અત્યાચારને લીધે સમૃદ્ધ કલિંગ સ્મશાન જેવું નિસ્તેજ બન્યું હતું તે જ મદોન્મત્ત મગધની સામે ખારવેલે યુદ્ધ જાહેર કર્યું. ખારવેલના પ્રતાપથી ગભરાયેભા મગધરાજ મગધ મૂકીને મથુરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005294
Book TitleJinvani
Original Sutra AuthorN/A
AuthorHarisatya Bhattacharya, Sushil
PublisherUnjha Ayurvedic Faramacy
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy