SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી મહાવીરાય નમ:// ક્ષણની શાશ્વતી કવિ ચંડીદાસે ગાયું છે: સાબાર ઉપર માનુષ સત્ય, તહાર ઉપર નાઈ. પૃથ્વી પરની તમામ પ્રાણીસૃષ્ટિ, જીવસૃષ્ટિમાં મનુષ્ય શ્રેષ્ઠ છે. અત્યંત મહિમાવંત છે. કુદરતનું અનુપમ સર્જન છે અને કુદરતનું અવિભાજ્ય અંગ છે. અનેક સદીઓની ઉત્ક્રાંતિ-પ્રક્રિયા પછી ટોચ પર આવેલો માનવી સર્વશ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ હોવાને નાતે સમગ્ર જીવસૃષ્ટિના જયેષ્ટ બંધુ જેવો છે. વડીલ હોવાની સાથે નાનાભાઈઓ તરફ જવાબદારી વધી જાય છે. પિડે તે વિશે અને વિષે તે પિંડે. માનવી અને પ્રકૃતિના મૂળ તત્વમાં કોઈ ભેદ નથી. પૃથ્વી પર બે તૃતીયાંશ પાણી છે, તો માનવશરીરમાં ૬૦ટકા જળતત્વ છે. ચંદ્રની કળા સાથે દરિયામાં ભરતી આવે છે. આ ચંદ્ર વિશેષત: પૂર્ણિમાનો ચંદ્ર માનવીમાં રહેલાં રૂધિર, જળતત્વ પર તેમ જ મન પર જબરો પ્રભાવ પાડે છે. હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિમાં પૂનમના દિવસે શરીરમાં ઉદ્ભવતા લક્ષણો-સંજ્ઞાઓ લક્ષમાં લઈ ચિકિત્સા કરવામાં આવે છે. માનવીમાં જેમ રક્તશિરાઓ-કેપલરીઝ હોય છે, તેમ વૃક્ષોમાં પણ એવી જ કેપીલરીઝ હોય છે. ભય કે આઘાત થકી માનવશિરાઓની જેમ જ આ શિરાઓ પણ ગભરાટથી સંકોચાય છે. એટલું જ નહિ, પણ એક વૃક્ષને છેદન કરવામાં આવે તો એને પડોશી વૃક્ષ ભયથી થથરી સંકોચાઈ જાય છે. ધરતી, હવા પ્રકાશ, પ્રાણી જેવી અત્યંત મૂલ્યવાન ચીજો કુદરતે માનવીને મફત આપી છે. હવા માટે રેશનકાર્ડની જરૂરત હોત તો? પાણી માટે સુપર માર્કેટમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy