SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ રમૂજ અને બીજી નિષ્ઠાભર્યું કામ... ગીતામાં પ્રબોધિત ઉદાસીન વૃત્તિને લોકો ઉદાસી સમજી બેઠા હોય છે. અર્થનો અનર્થ થઈ જતો હોય છે. ગીતાનાં ચૌદમાં અધ્યાયમાં આવે છે. જે ગુણનો વેગ નથી ઉઠતો તેની તે વખતે ઈચ્છા કરતો બેસતો નથી, અને જે ઊઠયો છે, તેનો દ્વેષ કરવા બેસતો નથી, જાણે ગુણોના ઉભવ કે લોપ સાથે પોતાને લેવાદેવા જ ન હોય, તેમ એ બેયથી પર ઉદાસ (ઉદ્ + આસ્ એટલે ઊંચે બેઠેલો) રહી બુદ્ધિની સમતા જાળવે છે, વ્યગ્ર થવા દેતો નથી. ત્રણ ગુણ વિભાગ યોગમાં ત્રણ મૂળ ગુણોમાં સત્વગુણ જ્ઞાનમૂલક છે. રજોગુણ કર્મપ્રધાન છે અને તમોગુણ મોહગ્રસ્ત છે. ગુણાતીત સાધક આ ત્રણે ગુણોથી અલિપ્ત રહે, ઉદાસીનપણે પણે નીરખ્યા કરે. આ ત્રિગુણમયી સૃષ્ટિ એક ખેલ છે, મજાક છે. શ્રીમદ્ રાજચંદ્ર કહેતા 'જગતની લીલા બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ.' હુઆંગ કહેતા COSMC માંથી 'S' કાઢી નાખીએ તો COMIC થઈ જાય! ગુણાતીત જ ખરેખર હસી શકે. ગુણાતીત થયા વગર સ્થિતપ્રજ્ઞતા આવતી નથી. સ્થિતપ્રજ્ઞ દશા વગર પ્રસન્નતા ન આવે. પ્રસન્નતા જયારે માણસનો સ્થાયીભાવ બને ત્યારે દુ:ખ ટકી જ ન શકે. તેની બુદ્ધિ પણ શીઘ અને સ્થિર બને. તટસ્થાપૂર્વક નિહાળે તે સ્વસ્થ. બધા ફંદ્ર ખરી પડ્યા પછી જે નીપજે તે આનંદ! જગતમાં આનંદનો વિરોધી શબ્દ જ નથી! આનંદ એ કંદથી પર એવો અવિરોધી શબ્દ છે. ઝેનગુરૂ જોશુ સસાકીરોશી કહેતા: હું લોકોને હસવા શીખવવા આવ્યો છું. વિનોબા કહેતા: એક ગણું ખાવ, બે ગણું પીઓ ત્રણ ગણી હવા લો, અને ચાર ગણું હસો... નોર્મન કઝીન્સે હસી હસી અસાધ્ય જેવા રોગને હાંકી કાઢેલો.. (જીવવાનો ચાન્સ ૫૦૦ માં ૧.). અંતરની પ્રસન્નતા વગર સ્મિત આવવું મુશ્કેલ છે, અને સ્મિત વગરના ચહેરા સ્વસ્થ હોય એવુ બહુધા નથી બનતું. સ્મિત અંતરંગના સ્થાયી ભાવનું ચહેરા પર થતું રેખાંકન છે. હાસ્ય, મોજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy