SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રીકોન્સીયસ મનની અવસ્થા પણ આવે છે. હિમશિલાની જેમ ટોપકું દેખાય એટલું જ જ્ઞાત મન. બાકી બધું અંદર. ડૉ. ફ્રાન્ક સ્લોટરે લખ્યું છે, આપણે સુખી થઈએ એટલા માટે સારી તંદુરસ્તી ઈચ્છીએ છીએ, પામવા પ્રયત્ન કરીએ છીએ પણ આંતરિક સુખમય દશામાં રહેવાથી તંદુરસ્ત રહી શકાય છે, તેના માટે કેટલા લોકો પ્રયત્ન કરે છે? હાવર્ડના પ્રોફેસર વિલિયમ જેમ્સે લખ્યું છે ‘“આપણે અનિદ્રામાં છીએ. આપણી ચૈતસિક સંપદાનો પૂરા ઉપયોગ કરતા નથી.’’ ડૉ. કૉન્ગ વિખ્યાત મનોવિજ્ઞાની હતા. એમણે સ્પષ્ટ લખ્યું છે. ‘સુખ એ મનની સહજ અવસ્થા છે, તેનો નિષ્ઠાપૂર્વક સ્વીકાર કરશો તો સુખ, જીવન જીવવાની શૈલી બની જશે.’ મનોવિજ્ઞાની ડૉ. ફીમેને સહિષ્ણુતા, સમજણ, બીજાના દુ:ખોનો અહેસાસ, એમના પ્રત્યે સ્નેહ, દયા, સહાનુભૂતિ હૂંફ આપી, એમના માટે કરી છૂટવાની ભાવના- અને એવું કાર્ય માનવીને માનસિક અને દૈહિક સ્વસ્થતા પ્રદાન કરે છે, એનું ભારપૂર્વક પ્રતિપાદન કર્યું છે. ન ઈચ્છસિ... મહાવીરે કહ્યું કે જે તું તારા માટે ન ઈચ્છે, તે બીજા માટે પણ ઈચ્છતો નહિ, મનોવિજ્ઞાને આ ભાવનાને બધી નૈતિક વિભાવનાનો આધાર કહ્યો છે. બધા ધર્મો એના પર રચાયેલાં છે. આ એક અત્યંત શાણપણભર્યું આચરણ છે. પ્રેમ અને નિષ્ઠાવંત કામ ઔષધની ગરજ સારે છે. ફ્રોઈડે કહ્યું Liben ind Arbeiten. માનવીનાં પ્રેમ કરવાની અને કામ કરવાની ક્ષમતા હોવી જોઈએ. પ્રેમ અને નિષ્ઠાવંત કામ ઔષધની ગરજ સારે છે. સ્વાધીનતા : લંડનના મનોવિજ્ઞાની ડૉ. એડવર્ડ ગ્લોવરે લખ્યું છે. ‘આપણા ઉપરાંત આપણે કોઈને ચાહીએ છીએ, એમની ખેવના કરીએ છીએ, એજ સર્વાંગી સ્વસ્થતાની સંજ્ઞા છે.' પોતા પ્રત્યે ધૃણા કર્યા વિના માનવી બીજા પ્રત્યે ધૃણા કે ધિકકાર કરી શકતો નથી. ભયમાંથી ઉદ્ભવતી ધિકકારની વૃત્તિ થકી માણસ ડ્રગનો વ્યસની, શરાબી કે ગુનેગાર પણ થઈ જાય છે. આવો માણસ જીવનનો પણ ઈન્કાર કરે છે અને ક્યારેક છેવટે દુનિયા પ્રત્યે વેર વાળવા પોતે જ આપઘાત કરે છે. મનોવિજ્ઞાને પ્રતિપાદિત કર્યું છે. ‘Soul Health is as essential as Body Health and Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy