SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ કયારે પણ એક ક્ષણ પણ વહેલો કે મોડો ઉગતો નથી. બધી ક્રિયાઓ ઓટોમેશનની જેમ સ્વયંસંચાલિત અને સ્વયંનિયમનધારી છે. શ્રી અરવિંદે સાવિત્રી' મહાકાવ્યમાં COSMIS DANCE પર પંકિતઓ લખી છે. નટરાજ શિવનું નર્તન-તાંડવ નૃત્ય જાણીતા છે. કાપ્રાએ Tao of Physicsમાં સુંદર ઉલ્લેખ કર્યો છે. માનવી જયારે કુદરત સાથે ચેડાં કરે છે, ફંટાઈ જાય છે, વિપરિત રીતે વર્તે છે, ત્યારે માનવીને એનો દંડ ભોગવવો પડે છે. માણસ પુષ્પ ચૂંટે છે, ત્યારે કોઈક તારાને ખલેલ પહોંચે છે. આ અવનિ પર માનવીનું આગવું સ્થાન છે. પુષ્પોનું આગવું સ્થાન છે. લોરેન ઈસ્લેએ ધ ઈમેન્સ જનમાં લખ્યું છે. પુષ્પોએ આપણી પૃથ્વીનો ચહેરો બદલી નાખ્યો છે. પુષ્પો ન હોત તો માનવીમાં જે ઋજુતા બચી છે, તે કદાચ ન હોત. સૃષ્ટિનો કાયદો અને કર્મનો કાયદો સ્વતંત્રપણે કામ કર્યું જાય છે. મનુષ્ય કર્મ કરવાને સ્વતંત્ર છે. કુદરત કે ભગવાન એમાં દખલ પહોંચાડતા નથી. તમામ જીવસૃષ્ટિ અને મહાચેતનવંત મનુષ્ય સર્વે એકબીજાથી સંકળાયેલા છે, એકમેક પર નિર્ભર છે અને એક જમાળાના મણકા જેવા છે. સૌમાં એકવ્યાપકતા છે. ' સાયુજ્ય છે. unity of life છે. અખંડતા, અખિલાઈ છે. કુદરતની આ અકળ લીલાનું રહસ્ય પામવામાં જ માનવીની ચતુરાઈ રહેલી છે. વૈશ્વિક ચેતના સૌમાં પ્રતિબિંબિત થાય છે. જે તમામને એક સૂત્રે બાંધે છે. કવિ વિલિયમ બ્લેકે “Auguries of Innocence' કાવ્યમાં આ વાત અભૂત રીતે કહી છે. To see a world in a grain of sand And Heaven in a Wild Flower. Hold Infinity in the Palm of your Hand And Eternity in an hour નિહાળવા રેતીના કણમાં બ્રહ્માંડ, અને વગડાના ફૂલમાં સ્વર્ગ, રમાડવી અનંતતાને હથેલીમાં, જાળવવી શાશ્વતી ક્ષણોમાં. કવિ આગળ કહે છે. જે શિશુ જેવી શ્રદ્ધા ઉછેરે છે, તે સ્વર્ગ અને નરક બેઉ પર વિજય પ્રાપ્ત કરે છે અને ઈશ્વર દર્શન દે છે અને ઈશ્વર પ્રકાશ છે. માનવીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy