SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ નાસ્તિક કેમ કહી શકાય? આવા મહાનુભાવો સૃષ્ટિના કર્તા તરીકે ઈશ્વરમાં ન પણ માનતા હોય તો પણ પરમતત્વમાં શ્રદ્ધા હશે જ, એમ માની શકાય. એનોનીમસે એક સ્થળે ઉદ્ગાર કાઢયા છે: I am an Atheist, Thank God! હુ ઈશ્વરનો પહાડ માનું છું કે હું નાસ્તિક છું! નાસ્તિક માણસને પણ પોતાની નાસ્તિકતામાં અટલ શ્રદ્ધા હોય છે. કવિ કોલેરિજે સરસ કહ્યું છે : “ઈશ્વરનો ઈન્કાર કરનાર નાસ્તિકને પ્રથમ તો ઈશ્વરની કલ્પના જ કેમ આવી હશે?' ‘પ્રારંભિક અવસ્થામાં ગાંધીજી ઈશ્વરને સૃષ્ટિકર્તા તરીકે માનતા. શ્રીમદ્ રાજચંદ્રના ગાઢ સંસર્ગ, પોતાના મંથન-ચિંતન પછી ‘ઈશ્વર એ સત્ય છે.” એવી માન્યતાથી ફંટાઈ ‘સત્ય એ જ ઈશ્વર છે.' એવા નિષ્કર્ષ પર આવ્યા. ગાંધીજી લખ્યું છે, ‘ઈશ્વરને હું વ્યક્તિ તરીકે જોતો નથી. મારા માટે સત્ય એ જ ઈશ્વર છે, ઈશ્વર એક શક્તિ છે, તત્ત્વ છે, શુદ્ધ ચૈતન્ય અને સર્વવ્યાપક છે.” There is no other God than Truth (હરિજન બંધુ તા. ૨૪-૧-૩૭) ‘ઈશ્વર એ સત્ય છે,” થી “સત્ય એ જ ઈશ્વર છે” ની વચ્ચેના ગાળામાં ગાંધીજીનો પ્રચંડ પુરુષાર્થ પથરાયેલો છે. આ સંઘર્ષ, આયાસ સમજવા-માણવા જેવો છે. ગાંધીજી કહેતા : હું ઈશ્વરને સત્યરૂપે ભજું છું. ગાંધીજીએ આફ્રિકાથી શ્રીમદ્ રાજચંદ્રને જે ૨૭ પ્રશ્નો પૂછયા હતાં, તેમાં બીજે પ્રશ્ન: ઈશ્વર શું છે? એ જગતકર્તા છે? એ પૂછયો હતો, જેનો જવાબ શ્રીમદે તા. ૧૧ ઓક્ટોબર, ૧૮૯૪ના પત્રમાં વિગતવાર આપ્યો છે. વિવેકાનંદ કહેતા : Every Soul is Divine. The mission of Religion is the manifestation of Divinity in the Soul. Caastie al qual fida પછી એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સૃષ્ટિકર્તા કોઈ એક ઈશ્વર નથી. કાઉન્ટ ફોક બનડોટે ઈશ્વર વિષે કહ્યું છે : જેમને શ્રદ્ધા છે, એમને માટે સ્પષ્ટતાની જરૂર નથી. જેમને શ્રદ્ધા નથી, એમને માટે કોઈ સ્પષ્ટતા શક્ય નથી. ગાંધીજી કહેતા : Faith demands no proof. કુન્દનિકા કાપડિયાએ એક મુલાકાતમાં કહ્યું : મારા જીવનમાં એમના (મકરન્દ દવે) આવ્યા પહેલાં ઈશ્વરનો પ્રવેશ નહોતો. કૃષ્ણમૂર્તિ કે બુદ્ધની વાતોમાં ક્યાંય ઈશ્વરની વાત આવે નહિં.. એટલે એમના થકી ઈશ્વરે મારા જીવનમાં પ્રવેશ કર્યો, એ બહુ મોટી વાત છે. God and the Soul are regarded by the Hindu mind not as concepts; speculative and problematical as is the case in Western Philosophy, but as things directly known, can be experienced not merely by a chosen few, but under right condition, by all humanity. This insistence upon immediate perception rather than abstract જમ્ પુનર્જન્મ ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005292
Book TitleJanma Punarjanma
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherShantaben Nemchand Gala
Publication Year1992
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy