SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરચરિત મીમાંસા “વિવાહ” અને “અપત્ય એ ધારે છે જ. એટલે તે કાળથી આ બે બાબતે વિષેનું સ્પષ્ટીકરણ મહાવીર ચરિતમાં પણ જરૂરી હતું. અને તેથી તે બાબતમાં બે પરંપરા પડી ગઈ છે. એક પરંપરા પ્રમાણે તેઓના લગ્ન થયા હતા જ્યારે બીજી પરંપરા પ્રમાણે તેઓનાં લગ્ન થયાં ન હતાં. આમ બનવામાં કેટલાક પ્રાચીન પાઠોએ પણ ભાગ ભજવ્યું હોય એમ સંભવ છે. આગમોના જે પ્રાચીન અંશે છે તે પ્રમાણે તે આગમમાં પણ ભ. પરણ્યા ન હતા તેવી પરંપરાની પુષ્ટિ થાય છે. અને કલ્પ. જેવાં આગમો જે એટલાં પ્રાચીન નથી તેમાં અને પછીની નિયુક્તિ આદિ ટીકાઓમાં તેઓ પરણ્યા હતા તેવી પરંપરાને પણ પુષ્ટિ મળે છે. તાત્વિક રીતે જોઈએ તે આમાં કઈ સૈદ્ધાતિક મતભેદ જેવું નથી. કારણ પરંપરા પ્રમાણે એ કેઈ નિયમ નથી કે તીર્થકર હોય તે અવશ્ય પરણે જ અથવા ન જ પરણે. આથી આ જે મતભેદ છે તે ઉક્ત બને ઠારોના કથાવિસ્તારને કારણે ઊભો થયેલ છે. એકવાર પરંપરામાં વિવાહ કર્યાની વાત દાખવ થઈ. પછી તેનું નિરાકરણ થઈ શકે નહિ. તે જ પ્રમાણે પરંપરામાં એકવાર એવું કહેવાય કે તેઓ પરણ્યા ન હતા એટલે પછી તેને અનુસરનારા તેમ જ કહે. દુર્ભાગ્યે આ બાબતમાં મધ્યકાળમાં જે પરંપરા સ્થિર થઈ તેમાં શ્વેતામ્બરમાં પરણ્યાની થઈ અને દિગબરમાં ન પરણ્યાની થઈ. તેથી તે બને પરંપરા આ બાબતમાં એક બીજાથી સાવ જુદી પડી ગઈ છે. જોકે બીજી એવી ઘણી બાબતો છે જેમાં એક બીજાનું અનુકરણ એકબીજાએ કર્યું છે અને નથી પણ કર્યું. છતાં આ બાબતમાં તે તેવું અનુકરણ દેખાતું નથી, એ હકીક્ત છે. તેથી આજે એમ મનાતું થયું છે કે પરણ્યા છે–તે વેતામ્બર મત છે અને નથી પરણ્યા તે દિગબર મત છે. પરંતુ ખરી વાત જે ઉપર કહી તે છે કે વેતામ્બર પરંપરામાં પરણ્યા–ને પરણ્યા –એ બને પરંપરાની પુષ્ટિ છે જ્યારે દિગંબરમાં માત્ર ન પરણ્યાની જ પુષ્ટિ મળે છે. તાબર સંમત આગમ ભગવતીમાં જમાલીની વિસ્તૃત કથા આવે છે. પછીના કાળે આ જમાવીને ભ. મહાવીરને જમાતા લખવામાં આવ્યું છે. પરંતુ ભગવતી ગત જમાલીની કથામાં તે આઠ કન્યાઓને પર હતું એમ તો જણાવ્યું છે પરંતુ તેમાંની એક ભ. મહાવીરની પુત્રી હતી, કે જમાલી ભ. મહાવીરને જમાઈ હતો તેવો કોઈ નિર્દેશ એ કથામાં નથી. તે સૂચવે છે કે જમાલીને ભ. મહાવીરનો જામાતા ઠરાવનારી પરંપરા ક્યારેક મોડેથી શરૂ થઈ છે, જે પ્રાચીન કાળમાં હતી નહિ.' ૧. જુઓ સ્થાનાંગ-સમવાયાંગ, પૃ. ૩૨૮માં બહુરતની ચર્ચા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005291
Book TitleMahavir Charit Mimansa
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherRamesh Malvaniya
Publication Year1992
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy