________________
મહાવીરચરિત મીમાંસા
ભ, મહાવીરને જન્મ થશે અને તેઓ તેમની નજીક આવ્યા. એટલામાં તો તેમના સંશયનું નિરાકરણ થઈ ગયું. આથી તેમણે ભગવાનનું “સન્મતિ” એવું નામ રાખ્યું અને ભવિષ્ય ભાખ્યું કે આ તીર્થકર થશે –૭૪.૨૮૨–૨૮૩. વૃદ્ધિ અને સ્મરણ:
આવશ્યક નિયુકિતની દ્વારા ગાથા(૩૧૪ = વિશે૧૮૨૨)માં વૃદ્ધિ અને સ્મરણ એવાં બે ધારે છે. તેની વ્યાખ્યામાં વિશેષાવશ્યકમાં જણાવ્યું છે કે અનુપમ શરીરષાળા ભ. મહાવીર દેવલોકમાંથી ચુત થઈને આ લેકમાં દાસીદાસથી અને પીઠમથી ઘેરાઈને વધવા લાગ્યા. તેમને વર્ણ પદ્મગૌર હતે. નયને સુંદર હતાં બિમ્બ જેવા ઓઠ હતા, ધવલ દંત પંક્તિ હતી અને તેમને નિશ્વાસ વિકસિત કમલની સુગંધ ધરાવતા હતા.
તેમને જાતિસ્મરણ એટલે કે પૂર્વજન્મનું જ્ઞાન હતું. અને વળી અપ્રતિપાતી એવાં પણ જ્ઞાને હતાં. અને મનુષ્યમાં તેમની કાંતિ અને બુદ્ધિ વિશિષ્ટ હતાં."
પઉમરિયમાં ઉલ્લેખ છે કે ઇન્દ્ર દીધેલ આહાર વડે અને અંગૂઠામાં લિપ્ત અમૃતને ચૂસીને ભ. મહાવીર વૃદ્ધિને પામ્યા.
ઉત્તરપુરાણમાં જણાવ્યું છે કે ભગવાનના ભોગપભોગની સામગ્રી શકની આજ્ઞાથી કુબેર હાજર કરતે હત–૭૪.૨૮૭-૮. ૧. વિશેષા. ૧૮૪૮–૧૮૫૦; આ ચૂ૦ પૃ૦ ૨૪૫ ૨. પઉમચરિય–૨.૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org