________________
કલિકાલસર્વજ્ઞ
૪૩
નગરશ્રેષ્ઠિ ચાંચદેવ અને માતા પાહિનીદેવીને પણ આ સમાચાર પહોંચાડી આચાર્ય મહોત્સવમાં હાજર રહેવાનું નિમંત્રણ પાઠવો.”
વાતાવરણમાં સન્નાટો ઘડીભર તો છવાઈ ગયો. દેવચન્દ્રસૂરિની અણધારી જાહેરાતે સૌ કોઈને સ્તબ્ધ કરી દીધા પરંતુ સમય પસાર થતાં કળ વળતાં - સૌ કોઈના ચહેરા પર આનંદના ઓઘ ઊમટ્યા.
સોમચન્દ્ર ગુરુદેવની કપરી પરીક્ષામાંથી પાસ થઈ ચૂક્યો હતો, દેવચન્દ્રસૂરિના ચરણોમાં એ ઢળી પડ્યો.
ગુરુદેવ...જેવા શબ્દો પણ ઉચ્ચારવાના એનામાં હોશ રહ્યા નહોતા. ગુરુદેવનો પ્રેમાળ હાથ માથે ફરી રહ્યો હતો.
પાહિનીદેવી... ઝબકીને જાગી ગઈ.
મધ્યરાત્રીની “આલબેલ'ના ડંકા પાહિનીપ્રાસાદના ઘંટાઘરમાંથી વાગી રહ્યા હતા.
પ્રાણનાથ... જાગો...” - બાજુમાં સૂતેલા “ચાંચના શરીરને આવેશમાં આવી હલબલાવી નાંખતી પાહિનીદેવી બોલી ઊઠી.
“શું છે ? શું છે પાહિની... બેબાકળો ચાંચ જાગી ગયો. આંખો સામે... પાહિની, અંધકારને ફેડવા સુવર્ણપાત્રમાં દીપક પ્રગટાવી રહી હતી. એના ચહેરા પર રમતી વિહ્વળતાએ ચાંચને ક્ષણભર તો મૂંઝવી દીધો...
પ્રાણનાથ... આજે તમે મારી બાજુમાં છો. દરિયા ડહોળતા સમંદર કિનારાના કોઈ શહેરમાં નથી. એનો મને આનંદ છે - સંતોષ છે.”
પાહિની, વાત શી છે? તું આમ ઝબકીને જાગી ગઈ. તે શું કાંઈ ખરાબ....”
પાહિની એની કોમળ હથેળી પતિના હોઠ પર મૂકતાં ખરાબ. નહીં. સરસ... સુંદર ક્યારેય ભુલાય નહીં એવું સ્વપ્ન આવ્યું. પ્રાણનાથ...” બોલી ઊઠી.
દેવી, તને તો બસ સપના જ આવ્યા કરે છે... અને એ પણ સારાં...
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org