________________
પ્રકાશકીય નિવેદન શ્રી મેહનલાલ દલીચંદ દેશાઈ સ્મારકનિધિ ગ્રંથમાળાના પ્રથમ પુખ તરીકે શ્રી મેહનલાલ દ. દેશાઈકૃત સામાયિકસૂત્ર'ની ત્રીજી આવૃત્તિ અમે ગત વર્ષે માર્ચ, ૧૯૮૮માં પ્રકાશિત કરી હતી. આ જ લેખકના બીજા એક પુસ્તક “જિનદેવદર્શનની પણ નવી ત્રીજી આવૃત્તિનું પ્રકાશન ઉપર્યુક્ત ગ્રંથમાળાના દ્વિતીય પુષ્પ તરીકે એક જ વર્ષના ટૂંકા ગાળામાં અમે કરી રહ્યા છીએ એને અમને આનંદ છે.
આ પ્રકારનાં ઉપયોગી પ્રકાશનો જૈન સમાજને ઉપલબ્ધ બની શક્યાં છે એમાં સ્વ. મેહનલાલ દેશાઈની પુણ્ય
સ્મૃતિમાં એમના રાજકેટનિવાસી સુપુત્ર શ્રી જયસુખભાઈ તરફથી રૂપિયા એક લાખનું સપડેલું માતબર દાન સહાયભૂત નીવડયું છે. એ માટે અમે શ્રી જયસુખભાઈ પ્રત્યે અમારી આભારની લાગણી પ્રગટ કરીએ છીએ.
જિનદેવદર્શન'નું પ્રકાશન એ કેવળ પુનર્મુદ્રણ નથી; પણ જેમ “સામાયિકસૂત્રીને મળ્યો હતો તેમ પ્રા. યંત કોઠારીના સદ્દભાવપૂર્ણ માર્ગદર્શન તેમજ વિદ્યાલયની અમદાવાદ શાખાના પૂર્વ વિદ્યાથી પ્રા. કાન્તિભાઈ બી. શાહના ચેકસાઈભર્યા સંપાદનને લાભ “જિનદેવદર્શનના આ પ્રકાશનને પણ સાંપડ્યો છે. તે માટે અમે તેમના આભારી છીએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org