________________ - જિનદર્શનનો મહિમા, હેતુ અને એની વિધિનું આલેખન કરતું ‘જિનદેવદર્શન' એ શ્રી મોહનલાલ દ. દેશાઈનું આજથી પણી સદી અગાઉ લખાયેલું એક મહત્ત્વનું અને જેન ચતુર્વિધ સંધને ઉપયોગી પુસ્તક છે. એમાં જિનેશ્વર ભગવાનનાં દર્શન, વંદન, સ્તુતિ, પૂજા આદિનું, હેતુ અને વિધિના વિવરણ સહિતનું નાનામોટા 64 ખડામાં સુઆયોજિત વિશદતાપૂર્ણ વિશ્લેષણ મળે છે. દેવવંદનના પ્રકાર, અરિહંત અને સિદ્ધિનાં સ્વરૂપનું વર્ણન, જિનેશ્વરની પૂજાના અગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા એ મુખ્ય ત્રણ પ્રકારે, ચૈત્યગૃહમાં વળે એવી 84 આશાતનાઓ વગેરે વિશેની સમજ સરળ શૈલીએ અપાઈ છે ને દિષ્ટાંત તરીકે મુકાયેલાં મચાવતરણાએ વિષયને રસાળ બનાવવામાં સહાય કરી છે. રાબ્દિી છ આવશ્યક ક્રિયાઓમાંની અતિ મહત્ત્વની એક જિનદેવદર્શન-ચૈત્યવંદનની ક્રિયાના સદ્ધરા આબાલવૃદ્ધ સૌમાં સુદૃઢ કરવા આ પુસ્તકનું વાચન ઈષ્ટ જ નહીં, અનિવાર્ય સમું ગણાય. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org