SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ શ્રી જિનેશ્વર મહિમા જગતમાં વેપારી તરીકે નહીં, પણ “ખુદાના ફિરસ્તા” તરીકેની તેમની ખ્યાતિ. દુકાન ઉપર મોટે ભાગે ધર્મનું જ રટણ. ૧૯૪૬ વર્ષ૨૩ સ્થાનકવાસી મુનિઓને શ્રીમદ્ને પરિચય. મુનિએ ઉપર પડેલો તેમના જ્ઞાનને ઊંડે પ્રભાવ. ૧૯૪૭ વર્ષ૨૪ ધંધે અને ગૃહસ્થજીવન એ પરાણે વળગેલી ચીજ હતી, એની પ્રતીતી રૂપે ધમધોકાર ચાલુ વેપારની વચ્ચે ગુજરાતના જંગલમાં, એકાંતવાસ, ચિંતવન, ગ, અને આત્મધ્યાન માટે રવાનગી, ગુપ્ત રીતે રહેવું. વર્ષ૨૪ સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ. ઓગણીસસેં ને સુડતાલીસ, સમતિ શુદ્ધ પ્રકાયું રેશ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું .” ધન્ય. ૩ (શ્રીમદ્જીના “ધન્ય રે દિવસ આ અહે, કાવ્યમાંથી) - ૧૯૪૭ વર્ષ૨૪ મહાત્મા ગાંધીજી વિલાયતથી બેરિસ્ટર થઈ મુંબઈ આવ્યા. ડો. પ્રાણજીવનદાસ ઝવેરીને ઘેર ભારતની બે મહાન વિભૂતિઓને સંગમ થયે. મહાત્માજીના લખવા મુજબ આફ્રિકામાં હતા ત્યારે શ્રીમદ્જી પત્ર દ્વારા અને ભારતમાં પ્રત્યક્ષ પરિચયથી તેમની આધ્યાત્મિક ભીડમાં માર્ગદર્શક બન્યા. ગાંધીજી લખે છે કે “હું આજે ત્રીસ વર્ષ થયાં હિન્દુસ્તાનમાં ધાર્મિક પુરુષની, તાવજ્ઞાનીની શોધ કરું છું, પણ શ્રીમદ્ રાજચંદ્રની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005288
Book TitleJineshvar Mahima
Original Sutra AuthorN/A
AuthorJayantilal P Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1974
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy