SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭૪ શ્રી જિનેશ્વર મહિમા પૂર્ણ અને પવિત્ર દર્શન - જે પૂર્ણદર્શન વિષે અત્રે કહેવાનું છે તે જૈન એટલે નિરાગીના સ્થાપન કરેલા દર્શન વિષે છે. એના બોધદાતા સર્વજ્ઞ અને સર્વદશ હતા. કાળભેદ છે તે પણ એ વાત સૈદ્ધાંતિક જણાય છે. દયા, બ્રહ્મચર્ય, શીલ, વિવેક, વૈરાગ્ય, જ્ઞાન, ક્રિયાદી એને જેવા પૂર્ણ એકડેએ વર્ણવ્યાં નથી. તેની સાથે શુદ્ધ આત્મજ્ઞાન, તેની કેટિઓ, જીવનાં ચ્યવન, જન્મ, ગતિ, વિગતિ, નીદ્વાર, પ્રદેશ, કાળ તેનાં સ્વરૂપ એ વિષે એ સૂમ બેધ છે કે, જે વડે તેની સર્વજ્ઞતાની નિઃશંકતા થાય. કાળભેદે પરમ્પરાસ્નાયથી કેવળજ્ઞાનાદિ જ્ઞાને જોવામાં નથી આવતાં, છતાં જે જે જિનેશ્વરનાં કહેલાં સૈદ્ધાંતિક વચને છે તે અખંડ છે. તેઓના કેટલાક સિદ્ધાંત એવા સૂકમ છે કે, જે એકેક વિચારતાં આખી જિંદગી વહી જાય તેવું છે. જિનેશ્વરનાં કહેલાં ધર્મતત્વથી કોઈ પણ પ્રાણીને લેશ ખેદ ઉત્પન્ન થતું નથી. સર્વ આત્માની રક્ષા અને સર્વાત્મશક્તિને પ્રકાશ એમાં રહ્યો છે. એ ભેદે વાંચવાથી, સમજવાથી અને તે પર અતિ સૂક્ષમ વિચાર કરવાથી આત્મશક્તિ પ્રકાશ પામી જૈનદર્શનની સર્વજ્ઞતાની, સત્કૃષ્ટપણાની હા કહેવરાવે છે. બહુ મનનથી સર્વ ધર્મમત જાણ પછી તુલના કરનારને આ કથન અવશ્ય સિદ્ધ થશે. પાનું ૮૬ મેક્ષમાળા પાઠ ૬૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005288
Book TitleJineshvar Mahima
Original Sutra AuthorN/A
AuthorJayantilal P Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1974
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy