SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ બે ભેદ સર્વ જીવ તેમાં તેની સ્થિતિ વિગેરે. ૩૩ અથવા વળી બે ભેદે સર્વ જીવ કહ્યા છે સકાય ૧. (દશમા ગુણઠાણા લગી) ને અકષાય ૨. (તે દસમા ગુણઠાણ ઉપરલા ને સિદ્ધ). તે જેમ સવેદી અવેદી કહ્યા તેમજ સર્વ કહેવા. દા અથવા વળી બે ભેદે સર્વ જીવ કહ્યા છે. સલેશી ૧. (તે સંસારી તેરમાં ગુણઠાણું લગી) ને અલેશી ૨. (તે ચઉદમાં ગુણઠાણાના ને સિદ્ધ.) તે જેમ અસિદ્ધ, સિદ્ધને કહ્યું તેમ સર્વ કહેવું. તેમાં થોડા અલેશી છે ૧. ને તે થકી સલેશી અનંત ગુણ છે ૨. Iણી - અથવા વળી બે ભેદે સર્વ જીવ કહ્યા છે જ્ઞાની ૧, તે બીજા ને સેથા ગુણઠાણું ઉપરલા ને સિદ્ધ.) અને અજ્ઞાની ૨, (તે પહેલા ત્રીજા ગુણઠાણાના જીવ.) . પ્રશ્ન- હે ભગવંત, જ્ઞાની જ્ઞાની પણે કેટલે કાળ રહે? : ઉતર–હે ગેમ, જ્ઞાની બે ભેદે છે. સાદિ અપર્યવસિત (અપ્રતિપાતિ) જ્ઞાની ૧. ને સાદિ સપર્યવસિત (તે જે પડે) જ્ઞાની ૨, તેમાં જે સાદિ સપર્યવસિત જ્ઞાન છે તે જધન્યથી અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટપણે છાસઠ સાગરોપમ ઝાઝેરાં રહે (ક્ષાપસમ સમ્યકવીને મતિ, વ્યુત જ્ઞાન રહે છે પડે તે માટે) અને જે સાદિ અપર્યવસાત જ્ઞાન છે તેના તે કાળનું માન હોય નહીં. (કેમકે આવ્યું જાય જ નહીં.) પ્રશન–હે ભગવંત, અજ્ઞાની અજ્ઞાની પણે કેટલો કાળ રહે ? ઉતર–હે ગતમ, અજ્ઞાની ને સવેદીની પરે ત્રણ ભેદે કહેવા. (અનાદિ અપર્ય વસીત ૧, અનાદિ સપર્ય વસીત ૨, સાદિ સંપર્ય વસીત ૩.) પ્રશન–હે ભગવંત, જ્ઞાની ને અંતર કેટલા કાળનું હોય? ઉત્તર–હે ગૌતમ, જ્ઞાની બે ભેદે છે. તેમાં જ્ઞાની જે સાદી અપર્ચ વસતિને અંતર નથી. (અણુપડવા માટે અપ્રતિપાતિ જ્ઞાનવંત) અને સાદી સંપર્યવસાત જે જ્ઞાની તે જે પડે છે. તેને જઘન્યથી અંતર અંતર્મુહુર્તનું (તે પાછો અંતર્મુહુર્ત સમયકત્વ પામે તે માટે ) અને ઉત્કૃષ્ટપણે અનંત કાળ અર્ધ પુદગળ પરાવર્ત દેશ ઉણ અંતર પડે (એટલું મિથ્યાત્વમાં રહીને ફરી જ્ઞાન પામે તે માટે.) પ્રશન–હે ભગવંત, અજ્ઞાનને અંતર કેટલા કાળનું હૈય? ઉત્તર––હે ગૌતમ, અજ્ઞાની ત્રણ ભેદે છે તે પૂર્વવત્ત ) તેમાં જે અનાદિ અનંત અને અનાદિ સાંત એ બેને તે અંતર નથી. અને જે સાદી સપર્યવસિત તેને જઘન્યથી અંતમુહુર્ત અંતર પડે અને ઉત્કૃષ્ટપણે છાસઠ સાગરોપમ ઝાઝેરાનું અંતર પડે. (એટલો કાળ જ્ઞાની પણે રહીને વળી પાછો અજ્ઞાની થાય તે માટે.) પ્રશન–હે ભગવંત, જ્ઞાની ૧. ને અજ્ઞાની ૨. એ બે માંહે કયા ક્યા થકી છેડા ઘણું છે? ઉતર–હે ગતમ, સર્વથી થોડા જ્ઞાની છે. ૧, તેથકી અજ્ઞાની અનંતગુણ છે ૨. in Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005287
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorNimchand Hirachand Kothari
PublisherNimchand Hirachand Kothari
Publication Year1913
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy