SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, લગે બાદર તેજકાય (અન્ની) છે ત્યાંલગે એ મનુષ્ય લક કહીએ. વળી ક્યાં લગે સૂવર્ણાદિકના આગર છે, નિધાન ભૂમિગત ધન છે. ત્યાં લગે એ મનુષ્ય લક કહીએ. વળી જ્યાં લગે અગડ, કુવા, ખાડ, નદી વહે છે ત્યાં લગે એ મનુષ્યલેક કહીએ. વળી જ્યાં લગે ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ, ચંદ્રમા પુઠે પરિધિ હોય (કુંડાળું) સૂર્યને પરિધિ હોય પ્રતિચંદ્રમા (પ્રતિબિંબ) દીસે છે મૅતિસૂર્ય પ્રતિબિંબ) દીસે છે, ઈદ્ર ધનુષ્ય, ઉદકમચ્છ, કપિસિન પૂર્વે વર્ણન કરેલ છે તે સર્વે છે ત્યાં લગે એ મનુષ્યલક કહીએ. વળી જ્યાં લગે ચંદ્રમા, સૂર્ય, ગ્રહ ગણ, નક્ષત્ર, તારાને અતી ગમન વક્રગતી ચાર પ્રમુખ નિર્ગમન બાહ્ય અત્યંતર મંડલે સંક્રમણ ચંદ્ર બીબની વાણી, વૃદ્ધિ શુકલ પક્ષ, કૃષ્ણપક્ષાદિકે ઇત્યાદિક અવસ્થીત સંસ્થાનક કહીએ છીએ ત્યાં લગે એ મનુષ્યલોક કહીએ સમયક્ષેત્ર કહીએ. અઢી દ્વીપ પીસ્તાલીસ લાખ જોજન પ્રમાણ છે. પ્રશ્ન–હે ભગવંત, મનુષ્ય ક્ષેત્ર માટે જે ચંદ્રમા, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા છે. તે દેવતા શું ઉંચા ઉર્ધ લોકે (કલ્પાતીતમાં) ઉત્તપન છે એટલે ઉધલક વાસી છે, કે કલ્પ (સંધ દિક) દેવેલેકના વાસણહાર છે, કે વૈમાનના વસણહાર છે, કે ચારો પપન તે ચાર પ્રત્યે (મંડળ ગતિએ પરિભ્રમણ કરવું) પામ્યા છે, કે ચાર સ્થીતીક સ્થીર છે, કે ગતિને વિષે આશક્તિ છે? ઉત્તર હે ગૌતમ, તે દેવતા ઉર્ધ લોક ઉત્પન નથી, તેમ કપન પણ નથી. એટલે દેવલોકવાસી નથી. ત્રીછા લોકમાં પોતાના તિજીના માનને વિષે ઉત્પન છે. ચારોપન છે, ચાર ચરે છે. પણ સ્થિર ચારી નથી. ગતીને વિષે આસક્ત છે. ગતી પ્રતેજ આશ્રય છે. ઉધમૂખ કલંબુકા પુષ્પને સંસ્થાને સંસ્થીત અનેક સહસ્ત્રગમે જોજન પ્રમાણે તાપ ક્ષેત્રે કરી સહીત થકાં અનેક સહસ્ત્ર ગમે બહારલી વૈવિત પરખદાએ કરી સહીત થકાં મોટે માટે સ્વરે વજાડતાં નાટક .ગ્ય ગીત, વાજીંત્ર, વિષ્ણુ, હસ્તતાળ, કાંસ્યતાલ, તુટિત, મોટું મૃદંગ, પડહ: એવે વાજીંત્રને શબદ કરીને મોટા ઉત્કૃષ્ટા સીંહનાદ બોલ કલકલ હર્ષને કેળાહળ શ કરી વિપુળ વિસ્તીર્ણ દેવસંબંધી ભોગ પ્રતે ભોગવતાં થકાં આછો નિર્મળ પર્વનો રાજા (મેર) પ્રતે દક્ષણાવર્ત સવળે રે મંડળ કરતાં થકાં મેરૂ પર્વત પેઠે પર્યટણ કરે છે. પ્રશન–હે ભગવંત, જ્યારે તે તિષી દેવતા ઈંદ્ર ચવે ત્યારે દેવતા છેક રહીત દેવકાર્ય કેમ કરે? ઉતર-હે મૈતમ, ત્યારે ચાર પાંચ સામાનીક દેવતા તે ઈંદ્ર સ્થાનક અંગીકાર કરીને વિચરે ત્યાં લગે ત્યાં અને ઇંદ્ર ઉપજે ત્યાં લગે તે દેવકાર્ય પ્રતે કરે. પ્રશ્ન–હે ભગવંત, તે ઇંદ્રની ઉપજવાની સન્યા કેટલા કાળ લગે ઈદે વિરહીત રહે? ઉતર–હે ગૌતમ, જધન્યથી એક સમય ને ઉત્કૃષ્ટપણે છ માસન વિરહ હોય. પ્રશ્ન–હે ભગવંત, મનુષ્યક્ષેત્ર બાહરલા જે ચંદ્રમા, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા છે. તે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005287
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorNimchand Hirachand Kothari
PublisherNimchand Hirachand Kothari
Publication Year1913
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy