SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ માનુષોત્તર પર્વતને મનુષ્યક્ષેત્ર. ર૬૧] તેણે અર્થે હે મૈતમ! અત્યંતર માહીલ પુષ્કરાઈ એવું નામ કહીએ છીએ તેમ વળી હે ગૌતમ! જાવત એ નામ નિત્ય છે. પ્રશ્ન–હે ભગવંત, અત્યંતર પુષ્કરધે કેટલા ચંદ્ર પ્રકાશ કરે છે? તેમજ પાંચે પુછયા જાવત કેટલા ક્રોડાકોડી તારા છે? ઉત્તર– હે ગતમ, બેહોતેર ચંદ્રમા છે ને બેહોતેર સૂર્ય દીપે છે. છ હજાર ત્રણ છત્રીસ મહાગ્રહ પુષ્કરવર દીપને માહીલે અર્થે ચાર ચરે છે. બે હજાર, સોળ નક્ષત્ર છે. ને અડતાલીસ લાખ, બાવીસ હજાર બસે એટલી કેડાડી તારા પુષ્કરાર્ધને વિષે શોભતા હવા, શોભે છે અને શોભશે. પ્રશ્ન–હે ભગવંત, સમયક્ષેત્ર કેટલું લાંબપણે, પિહોળપણે અને કેટલું પરિધિપણે છે? ઉત્તર–હે ગૌતમ, પિસ્તાળીસ લાખ જોજન લાંબાણે, પિહોળપણે છે અને એક કોડ બેતાલીસ લાખ, ત્રીસ હજાર, બસે ઓગણપચાસ જે જન પરિધિપણે છે. (જેટલી અભ્યતર પુષ્કરાર્ધની પરિધિ તેટલી ઇહાં પણ કહેવી.) પ્રશ્ન–હે ભગવંત, મનુષ્યક્ષેત્ર એવું નામ યે અર્થે કહો છો? ઉત્તર–હે ગૌતમ, એ અઢી દીપ પ્રમાણે મનુષ્ય ક્ષેત્રને વિષે ત્રણ પ્રકારના મનુષ્ય વસે છે કર્મભૂમિના ૧, અકર્મભૂમિના ૨, ને અંતરદ્વીપના ૩, તેણે અર્થે હે મૈતમ મનુષ્યક્ષેત્ર એવું નામ કહીએ છીએ. વળી મનુષ્યના જન્મ, મરણ પણ મનુષ્ય ક્ષેત્રને વિષે જ થાય છે, પણ બાહર થતાં નથી. એટલું જ નહિ પણ પૂર્વ જન્મ મરણ થયાં નથી, હમણું થતાં નથી ને આગળ થશે નહીં. કદાપી કોઈ મનુષ્યને કોઈ દેવ, દાનવ, વિધ્યાધર પૂર્વ વેર વાળવાને અર્થે એમ વિચારે છે આ મનુષ્યને આંહીથી ઉપાડી મનુષ્ય ક્ષેત્ર બાહીર નાખું તે સુકાઈ સુકાઈને મરી જાય. પણ લેકના સ્થીતી ભાવથી મહીમાથી તેવી બુદ્ધિ પાછી ફરી જાય તેથી કરી સંહરણ થાય જ નહિ. તેમ છતાં વખતે સંહરણ કરે તે પણ પાછો લાવી મનુષ્ય ક્ષેત્રમાં મુકવાની બુદ્ધિ થઈ જાય. પણ સંહરણ આશ્રી પણ કોઈ મનુષ્યનું મરણ મનુષ્ય ક્ષેત્ર બાહર થયું નથી, થતું નથી ને થશે પણ નહીં. વળી જંઘા ચારણ વિધ્યા ચારણ સાધુ લબ્ધાથી નંદીશ્વરાદિક દીપ સુધી અધ્યપી જાય છે પણ ત્યાં મરણ પામે નહીં એટલું જ નહીં પણ ઉચાર પાસવર્ણાદિક પણ થઈ શકે નહીં જે ક્ષેત્રની મર્યાદા માનુષાર પર્વત સીમા કરીને રહ્યો છે, ત્યાં સુધી મનુષ્યક્ષેત્ર કહીએ.જાવત હે ગત્તમ! મનુષ્યક્ષેત્ર એવું નીત્ય સારસ્વતું નામ છે.) પ્રશ્ન- હે ભગવંત, મનુષ્યક્ષેત્રને વિષે કેટલા ચંદ્રમા દીપતા હુવા, દીપે છે ને દીપસે? કેટલા સૂર્ય તપતા હુવા, તપે છે ને તપશે? એમ પાંચે જ્યોતિષી પુછયા ? ઉત્તર–હે ગૌતમ, એકસો બત્રીસ ચંદ્રમા છે ને એક બત્રીસ સૂર્ય છે. સર્વ મનુષ્ય લોકને વિષે. (અઢી દ્વીપ અને બે સમુદ્રના થઈને તે કેમ થાય તે કહે છે. બે ચંદ્ર ને બે સૂર્ય જબુદીપના, ચાર ચંદ્ર ને ચાર સૂર્ય લવણ સમુદ્રના, બાર ચંદ્ર ને બાર સૂર્ય ધાતકી ખંડના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005287
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorNimchand Hirachand Kothari
PublisherNimchand Hirachand Kothari
Publication Year1913
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy