SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય પત્રાંક ૧૦ અસ્તિત્વ ગુણ ૬૦ પ્રિય સૌ. રીના અને સૌ. મોના, અનેક ઉત્તમ શુભાશિષ, આપણે અત્યાર સુધી વિશ્વ, દ્રવ્ય, ગુણ, પર્યાયનું સ્વરૂપ જોયું અને ત્યાર બાદ પુદ્ગલ દ્રવ્યો વિષે માહિતી મેળવી. આપણે ઈન્દ્રિયો દ્વારા જે જે જાણિએ તે બધાં પુદ્ગલ જ છે, આવું જ્ઞાનમાં આવ્યા બાદ સહેજે પ્રશ્ન ઉભો થાય કે પછી હું-જીવદ્રવ્ય - કેવો છું ? અને તેને જાણવો પણ કેવી રીતે ? જીવદ્રવ્યને વિશેષરૂપે જાણતાં પહેલાં આપણને સામાન્યતઃ દ્રવ્યના લક્ષણો એટલે સ્વરૂપ શું છે તે જાણવું આવશ્યક છે. બધાં દ્રવ્યોમાં જોવાં મળતાં એવા જે ગુણો છે તેઓને સામાન્ય ગુણ કહ્યાં છે. Jain Education International ૨૭ ઓગસ્ટ ૧૯૯૪ સામાન્ય ગુણો અનંત છે. પણ વસ્તુનું સ્વરૂપ-દ્રવ્યનું સામાન્ય સ્વરૂપ-ખ્યાલમાં આવવા માટે છ સામાન્ય ગુણો જાણવાં આવશ્યક છે. તે ગુણોની ચર્ચા હવે આપણે કરવાના છીએ. આ બધાં ગુણો એક જ સમયે વિદ્યમાન હોય છે પરંતુ કથન કરતી વખતે તેમાં ક્રમ પડવાં એ સ્વાભાવિક છે. તે છ ગુણો છે - અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરૂલઘુત્વ, પ્રદેશત્વ. અસ્તિત્વ એટલે સત્તા-વિદ્યમાનતા-સદ્ભાવ. દ્રવ્ય સદૈવ છે. છે .. છે.. એટલે દ્રવ્યોનું સદૈવ અસ્તિત્વ છે. દ્રવ્યની સદૈવ સત્તા છે એ સર્વપ્રથમ જાણીએ તો જ તે દ્રવ્ય કેવું હોય છે, શું કામ કરે છે વિગેરે વધારે જાણકારી લઈ શકાય. અસ્તિત્વગુણ - 'જે શક્તિને કારણે દ્રવ્યનો કદાપિ નાશ ન થાય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy