SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યનું સ્વરૂપ તે ક્રિયાવતી શક્તિનું કામ છે. અન્ય ચાર દ્રવ્યોમાં આ ગુણ નથી. બીજા ચાર દ્રવ્યો અનાદિથી સ્થિર જ છે. તેઓનું ગમન અથવા હલનચલન થતું નથી. ધર્મદ્રવ્ય :- પોતે ગમન કરતા જીવ અને પુગલોને ગમન કરવા માટે જે નિમિત્ત છે તેને ધર્મદ્રવ્ય કહેવાય છે. ધર્મદ્રવ્ય જબરદસ્તીથી ગમન કરાવતું નથી. તે માત્ર ગમનમાટે અનુકૂળ હોય છે. જેમ કે પોતે જ ગમન કરવાવાળી માછલીને પાણી અનુકૂલ હોય તેમ જ છે. કુવાનું પાણી જેમ પોતે સ્થિર રહી ગમન કરતી માછલીને ગમન કરવા નિમિત્ત બને છે તેમ ધર્મદ્રવ્ય પોતે સ્થિર રહીને જીવ અને પુદ્ગલને ગમન કરવા નિમિત્ત બને છે. એના પરથી ‘ગતિeતુત્વ' ધર્મદ્રવ્યનો વિશેષ ગુણ છે એમ ધ્યાનમાં આવ્યું જ હશે. અધર્મદ્રવ્ય :- ગમનપૂર્વક સ્થિર થવાવાળા જીવ અને પુદ્ગલોને સ્થિર થવામાં જે નિમિત્ત હોય તે અધર્મદ્રવ્ય છે. સ્થિતિહેતુત્વ અધર્મદ્રવ્યનો વિશેષ ગુણ છે. જેમ ઝાડનો છાંયડો વટેમાર્ગુને થોભવા માટે નિમિત્ત બને છે તેમ. આકાશદ્રવ્ય :- બધા દ્રવ્યોને અવગાહના આપવી-રહેવા માટે જગ્યા આપવી તે આકાશદ્રવ્યનો વિશેષ ગુણ છે. તેને “અવગાહનહેતુત્વ એમ કહેવાય છે. પુદ્ગલને બાદ કરતા બીજા પાંચ દ્રવ્યો અરૂપી એટલે કે અમૂર્તિક છે. આપણને ભરું ભૂરું આકાશ દેખાય છે તે આકાશદ્રવ્ય છે કે ? વિચાર કરી જુઓ જોઉં બિલકુલ નથી. કારણ તે દેખાય છે, જેને વર્ણ છે - તે તો પુદ્ગલદ્રવ્ય છે. આપણે જેને અવકાશ કહીએ છીએ, તે આકાશદ્રવ્ય છે. તેનો વિસ્તાર અનંત છે, તેનો છેડો જ નથી. આકાશના મધ્યભાગમાં જ્યાં છ દ્રવ્યો રહે છે તેને લોકાકાશ કહે છે. અને તેની બધી બાજુએ અનંત અનંત એવું અલોકાકાશ છે. તેનો અંત જ નથી. વર્તમાનમાં વૈજ્ઞાનિકોને જ્ઞાત જે ગ્રહો, તારા, નક્ષત્ર, સૂર્યમાલિકા વિગેરે છે તે તો લોકાકાશના થોડા જ ભાગમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy