SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય તેવી જ આપણી થશે. તેને સમજવા માટે પંડિત ગોપાલદાસજી બરૈયાએ જૈન સિદ્ધાન્ત પ્રવેશિકા લખી છે. ગઈ સદીમાં થઈ ગયેલાં તે એક મહાન વિદ્વાન પંડિત. પ્રશ્ન-ઉત્તરરૂપે શબ્દોની વ્યાખ્યાઓ તેમણે આપી છે. પ્રથમ વિશ્વનો અર્થ શું તે પ્રશ્નથી શરૂઆત કરી છે. વિશ્વ એટલે જગત, જગ, બ્રહ્માંડ, લોક, દુનિયા - જે જે છે તે બધું. આપણે Universe એટલે પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, તારા, ગ્રહો અને અંતરાળની ઈતર બધી વાતો એવો અર્થ કરીએ છીએ. પણ વિશ્વ શબ્દનો અર્થ બહુ વ્યાપક છે. તેની પરિભાષા છે - ‘દ્રવ્યોનાં સમૂહને વિશ્વ કહે છે.' જેમ સમાજ તે કોઈ વસ્તુ નથી. લોકોના સમૂહને, સમુદાયને સમાજ કહે છે; તેવી રીતે વિશ્વ તે દ્રવ્યોનો સમૂહ. તે સમૂહ કેવાં પ્રકારનો છે તે આપણે આગળ જોઈશું. ૨૮ એ દ્રવ્યોનું જાતિ અપેક્ષાએ વર્ગીકરણ કરતાં છ છે. અને કુલ સંખ્યાની અપેક્ષાએ અનંત છે. તેમનાં નામો- જીવદ્રવ્ય, પુદ્ગલદ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય, અને કાળદ્રવ્ય. તેની સંખ્યા જોઈએ તો જીવ અનંત છે, પુદ્ગલ અનંતાનંત છે (અનંત x અનંત), ધર્મદ્રવ્ય એક, અધર્મદ્રવ્ય એક, આકાશ દ્રવ્ય એક અને કાળદ્રવ્ય અસંખ્યાત (લોકપ્રમાણ) છે. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષાના ‘લોકાનુપ્રેક્ષા’ ભાગમાં વિશ્વનું અને દ્રવ્યોનું સ્વરૂપ કહયું છે. મહાન આચાર્ય સ્વામી કાર્તિકેય પણ લખે છે કે તે સર્વજ્ઞોએ કહેલ સ્વરૂપ છે. કોઈપણ ગ્રંથ જુઓ, કોઈપણ આચાર્ય એમ કહેતા નથી કે એમ હું કહું છું. જે જે વસ્તુનું સ્વરૂપ સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું અને તેઓએ જે કથન કર્યું તે જ અનેક આચાર્યોએ લખી રાખ્યું છે. મેડિકલ અથવા સાયન્સની કોઇપણ શાખા વિષે જુઓ. એકાદ બાબતની સરખી ચોકકસ જાણ ન હોય તો શાસ્ત્રજ્ઞો તેના પર અલગ અલગ Theories લખે છે. શકયતા મૂકે છે. સર્વકજ્ઞથિત આગમો તે 'Theory' નથી પણ Fact છે - આ વસ્તુસ્થિતિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy