SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ સાત તત્ત્વો - આત્માનુભૂતિ તેના પર વિશ્વાસ રાખ્યો નથી. આત્માના ભાંજગડમાં પડી, છે તે ઐહિક (ભૌતિક) સુખને (?) લાત મારવા કોઈ તૈયાર નથી. પરંતુ આ સુખ આગળના ભવમાં સાથે આવશે નહીં. જુઓ હોં, આપણા સાયનમાં પાંચ માળનું એક મકાન ઘડીના છઠ્ઠા ભાગમાં ઢળી પડ્યું, છંદગીભર મેળવેલી સંપત્તિ કેટલી કામમાં આવી ? લાતૂરનાં ધરતીકંપમાં હજારો માણસો થોડા જ સેકંડમાં મૃત્યુમુખે પડ્યાં. ઘરબાર ધુળમાં મળ્યાં. નથી જીવનનો ભરોસો, કે નથી સંપત્તિને ભરોસો. અતીન્દ્રિય જ્ઞાન અને આનંદ તો આગળના ભાવમાં પણ સાથે જાય છે. એકવાર તેનો અનુભવ થાય કે ઉત્તરોત્તર વધતું જ જાય છે અને પૂર્ણતા થઈ કેવલજ્ઞાન અને અનંત સુખની પ્રાપ્તિ થાય છે. આત્માનુભવ તે જ જિનશાસન છે, બધાં પ્રવચનોનો સાર છે. આત્માનુભવનું સ્વરૂપ જાણતા જ તે પ્રગટ કરી પોતાનું કલ્યાણ કરી લે - એમ કોઈપણ બુદ્ધિમાનને કહેવાની ગરજ રહેતી નથી. તમે પણ આ કલ્યાણનો માર્ગ અંગિકાર કરશો જ એની મને ખાત્રી છે. કલ્યાણમસ્તુ, - એ જ તમારી બા. दौल समझ, सुन, चेत सयाने काल वृथा मत खोवै । यह नरभव फिर मिलन कठीन है, जो सम्यक् नहिं होवै॥ અનંતગુણોનું વૈભવ-દૌલત જેની પાસે છે એવા હે વિવેકી જીવ ! તું તત્ત્વજ્ઞાન સમજવાનો પ્રયત્ન કર, સાંભળ અને સાંભળી જાગ્રત થા. હે સુજ્ઞ જીવ ! આપણાં ક્ષણભંગુર આયુષ્યનો કાળ વૃથા ખોતો નહીં કારણ આ ભવમાંય સમ્યફદર્શને પ્રાપ્ત ન કરે તો આ નરજન્મ પાછો પ્રાપ્ત થવો ઘણું જ (મુશ્કેલ) કઠન છે. - પં. દૌલતરામજી - છાહઢાલા’ ૩જી ઢાલ - ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy