SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ સાત તત્ત્વ – ભેદવિજ્ઞાન આપણને આત્માનુભવ કરવો હોય તો તે માટે ચાર બાબતો આવશ્યક છે. ૧) સાચા દેવ, ગુરૂ અને શાસ્ત્રોનું યથાર્થ સ્વરૂપ ઓળખી તેમની દઢ શ્રદ્ધા - આપણે ઉપર જોયું કે જિનેન્દ્રોએ કહેલાં ઉપદેશો પરથી જ આપણને સમ્યફદર્શન થશે. તે માટે જિનેન્દ્રોનું સ્વરૂપ, તેઓએ કરેલો ઉપદેશ (સલ્લાસ્ત્રો અને તે ઉપદેશાનુસાર આત્માનુભવ કરેલાં મુનિ, તેમનાં નિર્ણયોથી જ આપણને સાચો ઉપદેશ પ્રાપ્ત થશે. માત્ર ભગવાનની પૂજા ભક્તિ એવો અર્થ અહીં અભિપ્રેત નથી. ૨) સાત તત્ત્વોની યથાર્થ પ્રતીતિ - આપણે જે વિપરીત માન્યતાઓ જોઈ તે વિપરીત માન્યતાઓ છોડી, તત્ત્વોનું ખરું સ્વરૂપ જાણી, તેમાં હેય, ય, ઉપાદેય તત્વ ઓળખી અને તેમની શ્રદ્ધા કરી તેના પર વારંવાર વિચાર કરી, તે તત્ત્વો ખરેખર તેવા જ છે એવો પરીક્ષાપૂર્વક નિર્ણય કરવો અને પ્રતીતિ કરવી. ૩) સ્વ-પર ભેદવિજ્ઞાન - હું કોણ, પર કોણ એ જાણી સ્વ ને સ્વ જાણવું-માનવું અને પરને પર જાણવો-માનવો. સાત તત્વોમાં સ્વપર ભેદવિજ્ઞાન કરવો. ૪) આત્માનુભૂતિ- સ્વ કોણ છે એ જાણ્યા પછી-સમજ્યાં પછી વારંવાર અંતર્મુખ થઈ “સ્વ” ની અનુભૂતિ કરવાનો અભ્યાસ કરવો. આ આત્માનુભૂતિ આપણે કરવાની છે. આત્મા કેવો છે અને તેનો અનુભવ શી રીતે કરવો એનો ઉપદેશ અરહંત ભગવંતોએ આપ્યો, તદનુસાર અનેક જીવોએ આત્માનુભવ કર્યો, અનેક આચાયોએ ગ્રંથરચના કરી આ માર્ગ લખી રાખ્યો. “અમે “સ્વ” ને ઓળખી નિજવૈભવનો આનંદ ઉપભોગીએ છીએ, તમે પણ પોતપોતાના નિવૈભવને જાણી તેનો ઉપભોગ લો’ – એવો ઉપદેશ તેઓએ આપણને આપ્યો છે. ઉપરોકત ચાર બાબતોમાથી બે બાબતો પર આપણે પહેલાંનાં પત્રોમાં સવિસ્તાર ચર્ચા કરી છે. આજનો આપણો વિષય છે ભેદવિજ્ઞાન. અહીં કેવળ કોઈપણ બે બાબતોના ભેદ પાડવાં એવો અર્થ નથી પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy