SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૧૬૪ ચારે ગતિઓના જીવોનો - શુભ અશુભભાવોનો – રેંટ ચાલુ જ છે. તમે બન્ને દીકરીઓ છો માટે દીકરીઓનો જ દાખલો તમને આપું છું. દીકરીઓના જન્મ સાથે જ માબાપ માને કે આ તો પારકું ઘન છે, હેય છે. આમ હોય તો પણ લગ્ન કરી પારકે ઘરે જાય ત્યાં સુધી લાલનપાલન, પોષણ, શિક્ષણ, સંસ્કાર, પોતાને પગભર ઉભી રહી ધનોપાર્જન કરવાનું શિક્ષણ આ બધી બાબતોમાં જરાય ઢીલાસ થાય છે ? ઉલટાનું સજાગ રહી જતન કરવામાં આવે છે. લગ્ન બાદ શરૂઆતમાં વારંવાર પિયેર આવતી રહો છો અને થોડા સમય બાદ સાસરે એટલી બધી રમમાણ થાઓ છો કે કોઈક વાર પિયેર આવો ત્યારે, કયારે હું “મારે ઘરે જઈશ એમ લાગે છે. આસવોનું પણ એમ છે. તેને હેય માન્યું, શ્રદ્ધામાં ત્યાગવા યોગ્ય માન્યું તોપણ જ્યાં સુધી આસ્રવ છૂટી જઈશુદ્ધભાવ પ્રગટ નહીં થાય ત્યાંસુધી અધિકાધિક ઉચ્ચપ્રતિના શુભભાવ આવતા રહે છે. શુદ્ધભાવ પ્રગટ થયા બાદ પણ ફરી પાછાં આસૂવો આવતા જ રહે છે. શુદ્ધિમાં વૃદ્ધિ થતી રહેશે તેમ આસ્રવ પુરેપૂરાં છૂટે નહીં તો પણ મારા શુદ્ધભાવમાં ક્યારે જઈશ એ વિચાર એકસરખો ખેંચ્યાં કરે છે અને એક વખત એવો પણ આવે છે કે આસવ બંધનો પૂરેપૂરો અભાવ થઈ મોક્ષદશા, પૂર્ણ શુદ્ધિ પ્રકટ થાય છે. જે માતાને દીકરીના કલ્યાણની ઈચ્છા હોય તે કહે છે –તને હવે પિયર હેય' છે. સાસરૂ ઉપાદેય છે, તે તારું સ્વ ઘર છે. જિનવાણી માતાને પણ અમારા કલ્યાણની ભાવના છે અને તે કહે છે – અનાદિથી આસવબંધ કરતા આવ્યા છો પણ આ હેય તત્ત્વ છે, તેમને છોડી નિજતત્ત્વનોસ્વજીવતત્ત્વનો-આશ્રય લો, તો સંવર, નિર્જરા, મોક્ષરૂપ સુખ મળશે. સંવર નિર્જરા થતાં હોય ત્યારે પણ શરૂઆતમાં આસવ-બંધ થોડો વખત થતાં રહેશે. પરન્ત કાલાંતરે તેમનો અભાવ થઈ પૂર્ણ સુખરૂપ, અનંત સુખરૂપ મોક્ષ અવસ્થા પ્રગટ થશે. વધુ ચર્ચા આગળના પત્રમાં - એ જ તમારી બા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy