SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન – ૧ દેખાય છે, તેઓએ આ સુખ કયા પ્રકારે પ્રાપ્ત કર્યું તેનું જ્ઞાન કરી લેવા અરહંતોની વાણી-જિનવાણી સાંભળવાની હોય છે અને તે માર્ગે જનારાં એવા મુનિ જોઈ - તેમની જેમ આપણે પણ તે માર્ગ પર ચાલીએ – માટે દેવ-શાસ્ત્ર-ગુરૂ વંદનીય, પૂજનીય છે. પરંતુ આ જીવે તેમ ન માનતા તેમને ઉપાદેય માન્યા. ખરું જોતાં આ બધાં અજીવતત્ત્વો છે, જ્ઞેયતત્ત્વ છે. પણ તેને આશ્રય કરવા યોગ્ય ઉપાદેય તત્ત્વ માન્યું. તેમને જાણી આશ્રય સ્વતત્ત્વનો-જીવતત્વનો લેવો જોઈતો હતો, પરંતુ તેમ ન કરતાં કેવળ દેવપૂજામાં, શાસ્ત્રશ્રવણમાં અને ગુરૂ ઉપાસનામાં જ આ જીવ સંતુષ્ટ થઈ બેઠો રહ્યો. આ શુભભાવ અને તેને કારણે થનારો કર્મબંધ તે આસવબંધતત્ત્વ છે. એટલે કેવળ અજીવતત્ત્વને ઉપાદેય માની થોભ્યા વગર આસવ અને બંધ તત્ત્વોને પણ ઉપાદેય માન્યાં. આશ્રયભૂત માન્યાં. સમ્યગ્દષ્ટિ જીવને પણ દેવ-ગુરૂ-શાસ્ત્રનો બહુમાન, વંદના, પૂજાનો ભાવ આવે છે, તેને શુભ-અશુભ ભાવ એટલે આસ્રવ અને તેથી થનારો બંધ પણ હોય છે. પરંતુ તેની માન્યતામાં તે આસ્રવ બંધને હેય સમજે છે -ત્યાગવાયોગ્ય સમજે છે – ઉપાદેય માનતો નથી અને દેવ, ગુરૂ, શાસ્ત્રોને શેય સમજે છે. વારંવાર સ્વ તરફ એટલે જીવતત્ત્વ તરફ ધ્યાન આપી ઉપયોગ કેન્દ્રિત કરી તે આત્મલીનતા સાધવાનાં પ્રયત્નમાં હોય છે. આવી યથાયોગ્ય માન્યતા હોય તો જ દેવ-ગુરૂ-શાસ્ત્રની શ્રદ્ધા સાચી છે એમ કહેવાશે. કેટલા જણ કહે છે કે અમે ફકત સાચા દેવ-ગુરૂ-શાસ્ત્રોને જ નમસ્કાર કરીએ, સાત તત્ત્વોના નામ અને લક્ષણ અમને ખબર છે એટલે કે અમારી સાત તત્ત્વો પર શ્રદ્ધા છે. પણ તેમની શ્રદ્ધામાં તેમણે હેય, શેય, ઉપાદેય જેમ માનવા જોઈતાં હતાં તેમ ન માનવાથી તે શ્રદ્ધા વિપરીત જ છે એમ કહેવું પડશે. આજકાલ તો સર્વ સાધારણ માણસ દેહને જ હું માની તેને પરમ ઉપાદેય માને છે, તે પોતાનું અસ્તિત્વ જ ભૂલ્યો છે એટલું નહીં પણ દેહથી ભિન્ન તું આત્મા છે એમ કહેનારને જ તે ગાંડામાં ખપાવી દે છે. પોતાની પ્રિય વ્યક્તિ સ્મરણ શક્તિ ખોઈ બેસે અને પોતાનું નામ, ગામ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy