SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય જૈન સિદ્ધાંત પ્રવેશિકા સમજ્યા વગર શાસ્ત્ર સમજવું ઘણું જ મુશ્કેલ છે. આપણે ત્યાં પૂ. ગુરૂદેવશ્રીની હયાતીમાં સોનગઢમાં ઉનાળાના વેકેશનમાં સં. ૨૦૦૦ ની સાલથી બાળ શિક્ષણ વર્ગ ચાલતાં. જેમાં મુખ્ય વિષય છે. શ્રી ગોપાલદાસજી બરેય કત જૈન સિદ્ધાંત પ્રવેશિકાનો રહેતો - સાથે પં. શ્રી દૌલતરામજી કૃત છહઢાળા તથા આચાર્યશ્રી નેમીચંદ સિદ્ધાંત ચક્રવર્તી ફત દ્રવ્યસંગ્રહ તથા શ્રીમદ્ રાજચંદ્ર કૃત આત્મસિદ્ધિ શાસ્ત્ર પણ ઉપલા વર્ગમાં શિખવતાં. બાળપણમાં સિદ્ધાંત પ્રવેશિકા શ્રી હિરાચંદજી માસ્તર લેતાં. તેમની સિદ્ધાંત પ્રવેશિકા શીખવવાની આગવી રીત હતી. દાખલા-દલીલ દ્વારા બાળકોને એવી રીતે સમજાવતાં કે જીંદગીભર તે ભૂલે નહિ. આજે પણ જેઓએ તેમની પાસે સિદ્ધાંત પ્રવેશિકાનું શિક્ષણ લીધું છે તેઓને ક્યારેય પણ પૂ. ગુરૂદેવશ્રીના પ્રવચનો કે શાસ્ત્ર સમજવામાં તકલીફ પડતી નથી. ડૉ. સી. ઉજ્વલાબહેને પત્રોરૂપે આ જ સિદ્ધાંત પ્રવેશિકા સરળ ભાષામાં તેમની પુત્રીઓને સમજાવવા માટે મરાઠીમાં લખેલ તેનું ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ કરતાં અમો આનંદ અનુભવીએ છીએ. સિદ્ધાંત પ્રવેશિકા સમજવા માટે કોઈ શિક્ષકની આવશ્યકતા જણાય છે જ્યારે આ પત્રો સરળ ભાષામાં વાંચતા સ્વયં સમજાઈ જાય છે. મુ. શ્રી નેમચંદકાકા જ્યારે જ્યારે જયપુરમાં શિક્ષણ શિબિર વખતે સિદ્ધાંત પ્રવેશિકા લેતા ત્યારે મોટા મોટા વિદ્વાનો પણ તે સમજવા માટે તેમના કલાસમાં બેસતાં એ પરથી ખ્યાલ આવશે કે આ સિદ્ધાંતો કેટલા મહત્ત્વનાં છે. પ્રાથમિક અભ્યાસી જીવોને આ પત્રો શાસ્ત્ર સમજવામાં સરળ પડશે તેમ લાગવાથી આ પત્રો ગુજરાતીમાં ટ્રસ્ટ તરફથી છપાવવા નિર્ણય લીધો છે. આશા રાખીએ આપ સૌને જરૂર વાંચવા ગમશે. આ પત્રો પુસ્તકરૂપે મરાઠી, હિંદી, અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓમાં કુલ ૨૯,૫૦૦ પ્રત છપાઈ ચુકી છે. પુસ્તકની પડતર કિંમત રૂ. ૨૨/- હોવા છતાં પણ મુમુક્ષુઓને વધારે લાભ મળે તે હેતુથી રૂ. ૧૦- રાખવામાં આવેલ છે. આ પુસ્તકની ઘણી માંગ હોવાના કારણે થોડા સમયમાં જ ચોથી આવૃત્તિ પ્રકાશિત કરતા અમોને ખૂબ આનંદ થાય છે. પૂજ્ય શ્રી. કાનજીસ્વામી દ્રસ્ટ વતી ટ્રસ્ટીગણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy