SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ જીતુભાઈએ તેમના નામો લખાવતા ૫ નામોનો એક સેટ પૂરો થયો છે. દરેક ડોનરના રૂા.૨૫,૦૦૦/- છે. આ વખત પુસ્તકની પડતર કીંમત રૂા. ૪૮/- થાય છે. પણ સમ્યગજ્ઞાન અને શ્રુતજ્ઞાન પ્રસાર અને પ્રચાર અર્થે અલ્પ મૂલ્ય રૂા. ૨૦/- રાખેલ છે. જે પૂન્યવંતા ભવ્ય આત્માને જ્ઞાનદાનના ઉમદા શુભ કાર્યમાં પોતાનું એક નામ લખાવવાની ભાવના થાય તેમણે મને ફોન નં. ૩૬૪૧૮૧૧ અથવા કોન્ફરન્સની ઓફીસ નં. ૩૪૨૨૭૨૪ માં ખબર આપવા વિનંતી છે. જે શુભ કાર્યની અનુમોદના પણ મોક્ષ મંઝીલે પહોંચવા સહાયક બની શકે છે. શ્રી રમેશભાઈ દફતરી તથા તરલાબેન દોશી તરફથી સહકાર તેમજ માર્ગદર્શન મળ્યા છે તેમજ રાજેશ પ્રિન્ટરીના શરદભાઈ તથા ભાવિન ગાંધીએ પુસ્તક પ્રકાશનમાં જહેમત ઉઠાવી છે તે બદલ બધા મહાનુભવોને હાર્દિક આભાર માનું છું. છુટે દેહાધ્યાસ તો, નહીં કર્તા તું કર્મ નહીં ભોક્તા તું તેહનો, એજ ધર્મનો મર્મ આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા ૧૧૫ શ્રી સદ્ગુરુ ભક્તિ રહસ્ય, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, ક્ષમાપના, અમૂલ્ય તત્ત્વ વિચાર શ્રીમદ્ રાજચંદ્ર રચિત છે કે જેઓ સમ્ય ધર્મને પામી ગયા છે. શાસ્ત્રમાં જ્ઞાનશ્ય ફળ વિરતી બતાવેલ છે. જે કોઇ મુમુક્ષ આત્માને વૃત્તો લેવાની ભાવના હોય તેમણે ફોલ્ડરમાં રાખેલ વસ્તુઓની મર્યાદા રાખીને પણ વૃતાધારી બની શકે છે. - એક જીજ્ઞાશુ ભાઈએ કહેલ કે આ પુસ્તકમાં વિવરણ વધારે છે. તેનો જવાબ એ છે કે શાસ્ત્રમાં તો શ્રુત જ્ઞાનની વાતો હોય પછી તેમાંથી હેય શેય અને ઉપાદેય શું છે તે સબંધી પૂ. સાધુ ભગવંતો આપણને માર્ગ દર્શન આપે છે જે સહેલાઈથી સમજી શકાય છે. કોઈ વિવરણ આપણી અલ્પ બુદ્ધિ અનુસાર ન સમજી શકાય ત્યારે વાંચન બંધ નહિ કરતા તે પાના છોડી આગળ અભ્યાસ કરવાનું ચાલુ રાખવા વિનંતી છે. “શ્રી જૈન તત્ત્વસાર” પૂસ્તકમાં શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞા વિરૂદ્ધ કશુંએ લખાએલ હોય તો ત્રીવિધીએ ત્રીવિધીએ મિચ્છામી દુક્કડં. કેશવલાલ દુલભજી વિરાણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy