SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) અનંત શોકઃ નારકી જીવો સદા ચિંતાગ્રસ્ત રહ્યા કરે છે. (૧૦) અનંત ભય: જ્યાં કરોડો સૂર્ય મળીને પણ પ્રકાશ ન કરી શકે એવું અંધકારમય નરકનું સ્થાન છે. વળી નારકીઓનાં શરીર પણ કાળાં મહા ભયંકર છે. ચારે બાજુ મારકૂટ હાહાકાર હોય છે. એ કારણોથી નારકી જીવો પ્રતિક્ષણ ભયથી વ્યાકુળ બની રહે છે. આ ૧૦ પ્રકારની વેદનાને સાતે નરકના જીવો પ્રતિક્ષણ અનુભવી રહ્યા હોય છે. આંખનું મટકું મારીએ એટલો વખત પણ આરામ નથી. “નિર-નિર્ગતમ્, અયમ, ઇષ્ટ ફલ પ્રાપક કર્મ યેવ્યસ્તે નિરયા” શાસ્ત્રોમાં નેરઇયા શબ્દ આવે છે. તેનું સંસ્કૃત “નૈરયિકાણામ્ થાય છે. નિર્ગતા : અયાત્ શુભા, ઇતિ નિરયાઃ નરકાવાસાઃ તેષભવ નરયિકા” શાતા વેદનીય આદિ શુભરૂપ કર્મોથી જે સ્થાન નિર્ગત (રહિત) હોય છે, તે સ્થાનને નિરય કહે છે. આ નિરયોમાં (નરકાવાસમાં) જન્મ લેનારા જીવોને નરયિકો કહે છે. નરયિકોનું બીજું નામ નારકો છે. (જુઓ પૂ. શ્રી ઘાસીલાલજી મ. સા. શ્રુત સ્થાનાંગ સૂત્ર ભાગ-૧ પાનું ૧૫૬, ભગવતી ભાગ-૧ પાનું ૧૯૫) પ્રશ્નઃ આવા મહાદુઃખપ્રદ નરકમાં ક્યા પાપોદયથી જીવ જાય છે? ઉત્તરઃ સૂયગડાંગ સૂત્રના પહેલા શ્રુત સ્કંધના પંચમ અધ્યયનમાં કહ્યું છે? तिव्वं तसे पाणिणो थावरे य, जे हिंसति आयसुहं पडुचा । जे लुसए होई अदत्तहारी, ण सिक्खति सेयवियस्स किंचि ॥. पागब्धि पाणे बहुणं तिवाती, अणिबुडे घातमुवेति बाले। णिहोणिसं गच्छति अंतकाले, अहोसिरं कट्ट उवेइ दुग्गं ॥ ५॥" અર્થાત્ ઃ જે પ્રાણી પોતાના સુખને માટે ત્રસ (બેઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય) અને સ્થાવર (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ)ના જીવોની નિર્દયતાના ભાવથી હિંસા કરે છે. અને અદત્તનું ગ્રહણ કરી બીજાને “ લૂંટી માનવોને દુઃખી કરે છે. ગ્રહણ કરવા યોગ્ય શિક્ષા-વ્રત-પ્રત્યાખ્યાન આદિને ગ્રહણ કરતો નથી. હિંસાદિ પાપ કત્યોને પુણ્યકારી બતાવવાની સ્પષ્ટતા કરે છે, ક્રોધાદિ ચાર કષાયોથી નિવૃત્ત થતો નથી, તે અજ્ઞાની મરણ થયા બાદ નીચું માથું કરીને અંધકારમય મહાભયંકર નરક સ્થાનમાં જાય છે અને મહાદુઃખ - પામે છે. સિદ્ધ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy