SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ છે. જેમાં ૩૦,૦૦,૦૦૦ નરકાવાસ છે. જેમાં અસંખ્યાત કુંભીઓ અને અસંખ્યાત નારકીના જીવો છે. તેમનું દેહમાન કા ધનુષ્ય અને ૬ આંગુલ અને આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષનું ઉત્કૃષ્ટ ૧ સાગરોપમનું છે. આ સાતે નરકના બધા મળી ૪૯ પાથડા અને ૪ આંતરા તથા ૮૪,00,000 નારકાવાસો છે, બધા નરકાવાસ અંદરથી ગોળાકાર અને બહારથી ચોખંડાકાર, પથ્થરની ફર્સવાળા, મહા દુર્ગધવાળા અને હજારો વીંછીઓના ડંખથી પણ અધિક દુઃખદ સ્પર્શવાળા છે. સાતમી નરકનું “અપઈઢાણનામનું નરકાવાસ ૧,00,000 યોજનનું લાંબું, પહોળું અને ગોળાકાર છે. અને પ્રથમ નરકનો સીમંત નામે નરકાવાસ ૪૫ લાખ યોજનાનો લાંબો, પહોળો ગોળાકાર છે. બાકી બધા નરકાવાસ અસંખ્યાત યોજનાના લાંબા પહોળા છે. ત્રણ-ત્રણ હજાર યોજનના ઊંચા છે. જેમાં ૧000 યોજન ઉપર અને ૧૦૦૦ યોજન નીચે છોડીને મધ્યમાં ૧૦૦૦ યોજનની પોલારમાં નરકના જીવો રહે છે. પ્રત્યેક નરકની નીચે જુદા જુદા ગોળાર્ધ (અર્ધ વલયાકાર) છે. પહેલું ગોળાર્ધ ઘનોદધિ (જામેલા પાણી)નું ૨૦,000 યોજનાનું છે. એની નીચે બીજુ ગોળાર્ધ ઘનવાત (જામેલી હવા)નું તેનાથી અસંખ્યાત ગણું વધારે છે. એની નીચે અસંખ્યાત યોજન તનુવાત છે. તેની નીચે અસંખ્યાત યોજન આકાશ છે. જેમ પારા ઉપર પથ્થર અને હવામાં વાયુયાન રહે છે તેમ ઉપરના ૪ ગોળાર્ધના આધારે ૭ નરક રહેલી છે. (૧) રત્નપ્રભા નરક-કાળા રંગના ભયંકર રત્નોથી વ્યાપ્ત છે. શર્કરપ્રભા નરક-ભાલા અને બરછીથી પણ વધારે તીક્ષ્ણ કાંકરાઓથી ભરપૂર છે. વાલુકાપ્રભા નરક-ભાંડમુંજાની રેતી કરતાં પણ વધારે ઉષ્ણ રેતીથી ભરપૂર છે. (૪). પંકપ્રભા નરક-માંસ, લોહી પર વગેરેના કીચડથી ભરેલી છે. ધૂમપ્રભા નરક-રાઈ-મરચાંના ધૂમાડાથી પણ વધારે તીખા ધૂમાડાથી વ્યાપ્ત છે. તમાં પ્રભા નરક- ઘોર અંધકારથી વ્યાપ્ત છે. (૭) તમસ્તમાં પ્રભા નરક-મહાન ઘોર અંધકારથી વ્યાપ્ત છે. (૩) ૩૪ સિદ્ધ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy